________________
ઉપદેશ છાયા
૩૫ પણ સંભવે, માટે જ્ઞાનીને વેગ હેય પણ પ્રમાદ હાય નહીં.
સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું” એજ મુખ્ય તે સમજવાનું છે. બાલજીવોને સમજવા સારુ સિદ્ધાંતેના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરુષ એ કર્યું છે.
કોઈ ઉપર રોષ કરે નહીં તેમ કઈ ઉપર રાજી થવું નહીં આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે.
જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તે સહજ વિચાર પ્રગટે; પણ મિથ્યાત્વરૂપી મટે રેગ છે. તેથી સમજવા માટે ઘણો કાળ જ જોઈએ. શાસ્ત્રમાં જે સેળ રેગ કહ્યા છે તે સઘળા આ જીવને છે એમ સમજવું.
જે સાધન બતાવ્યાં છે તે સાવ સુલભ છે. સ્વચ્છેદથી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માથે કરવી. તપશ્ચર્યા બાર પ્રકારે કહી છે. આહાર નહીં લે એ વગરે બાર પ્રકારે છે. સત્ સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હેય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું. પિતા પણે વર્તવું. તે જ સ્વછંદ છે એમ કહ્યું છે. સદ્દગુરૂની આજ્ઞા વિના શ્વાસોચ્છવાસ ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org