________________
ઉપદેશછાયા
ઉ૦ –ઐશ્વર્ય પદ પ્રાપ્ત થતાં તેને ધક્કો મારીને પાછું કાઢે કે “આ મારે જોઈતું નથી; મારે આને શું કરવું છે?” કઈ રાજા પ્રધાનપણું આપે તે પણ પિતે લેવા ઈછે નહી. “મારે એને શું કરવું છે ? ઘરસંબં ધીની આટલી ઉપાધિ થાય તે ઘણી છે,” આવી રીતે ના પાડે, ઐશ્વર્ય પદની નિરિછા છતાં રાજા ફરી ફરી આપવા ઈ છે તેને લીધે આવી પડે, તે તેને વિચાર થાય કે જા તારે પ્રધાનપણું હશે તે ઘણું જીવની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકે છપાવાશે. એવા ધર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્યભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઈચ્છાસહિત ભગવે, અને ઉદય કહે છે તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય.
કેટલાક જી-મેહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યથી દિક્ષા લે છે. “દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તે સાધારણ ખેડૂતે કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તે તેની પેરે સહજ થઈ રહેશે, પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.” આવી ભાવનાથી દીક્ષા લેવાને જે વૈરાગ્ય થાય તે “મેહગર્ભિત વૈરાગ્ય.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org