________________
ઉપદેશછાયા ૨૧ એક વન છે તેમાં માહાત્મ્યવાળા પદાર્થો છે. તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું માહાસ્ય લાગે, અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાની પુરુષરૂપી વન છે. જ્ઞાની પુરુષનું અગમ્ય, અગોચર માહાસ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું ઓળખાણ થાય તેટલું માહાસ્ય લાગે; અને તે તે પ્રમાણે તેનું કલ્યાણ થાય.
સાંસરિક ખેદનાં કારણે જોઈ, જીવને કડવાશ લાગતાં છતાં તે વૈરાગ્ય ઉપર પગ દઈ ચાલ્યા જાય છે. પણ વૈરાગ્યમાં પ્રવૃત્તિ કરતું નથી,
લોકો જ્ઞાનીને લોકદષ્ટિએ દેખે તે ઓળખે નહીં.
આહારાદિ વગેરેમાં પણ જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ બાહ્ય વર્તે છે. કેવી રીતે જે, ઘડો ઉપર (આકાશમાં) છે, અને પાણીમાં ઊભા રહીને, પાણીમાં દષ્ટિ રાખી, બાણ સાધી તે (ઊચેને ઘડો) વીંધ છે; લેક જાણે છે કે વીંધનારની દૃષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીતે ઘડો વિધવાને છે, તેને લક્ષ કરવા માટે વીંધનારની દૃષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનની ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે.
દઠ નિશ્ચય કરે કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે.
સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઈચ્છા થતી હોય તે સમજવું કે જ્ઞાની પુરુષને જોયા નથી. જે પ્રકારે પ્રથમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org