________________
૧૩
શ્રીમદ્ રાજચંદ્ર
નાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સેા વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવુ નહીં; કારણ કે તે વૃત્તિને શૈાભ પમાડે જ એવુ' જ્ઞાનીએ જાણ્યુ છે. સાધુને તેટલુ જ્ઞાન નથી કે તેનાંથી ન જ ચળી શકે, એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી. નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂકા છે; એટલા માટે જો વૃત્તિએ પદાર્થમાં ક્ષેાભ પામે તા. તરત ખેંચી લઈ તેવી ખાહ્યવૃત્તિએ ક્ષય કરવી.
ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અશે અંશે ગુણ અતાવ્યા છે. અને છેવટે તે કેવા છે તે જણાવ્યુ છે. જેમ એક હીરા છે તેને એક એક કરતા ચૌઢ પહેલ. પાડા તા અનુક્રમે વિશેષ વિશેષ કાન્તિ પ્રગટે, અને ચૌદે પહેલ પાડતાં છેવટે હીરાની સપૂર્ણ સ્પષ્ટ કાન્તિ પ્રગટે.. આજ રીતે સપૂર્ણ ગુણુ પ્રગટવાથી આત્માસ પૂર્ણ પણે પ્રગટે.
6
ચૌદપૂર્વ ધારી અગિયારમેથી પા પડે છે તેનુ કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટયે.' આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવુ પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું; કારણ કે વૃત્તિઓનુ પ્રાબલ્ય એવુ' છે કે તે હરેક પ્રકારે છેતરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org