________________
શ્રીમદ્ રાજચંદ્ર
ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકાર ભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને, પણ ઉત્કૃષ્ટ સપુરુષને તે તેવી ભાવના હોય નહીં અથાત નિસ્પૃહતા હોવાથી તે ભાવ રાખે નહીં, તેથી કાં તે જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય.
જેમ બને તેમ સદુવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાતુ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં પણ ત્યાં સુધી યથાશક્તિ સદુવ્રત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લેકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દે છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કઈ પણ સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે
કે જે વ્રત, પચ્ચખાણ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દે હોય છે. આપણે તે તે દેથી રહિત અને આત્મવિચારને અર્થે કરવો છે, માટે તેની સાથે કદી પણ સરખાવવાં નહીં.
ઉપર કહ્યા તે દે વજીને, ઉત્તમ પ્રકારે સવૃત્તિ અને સદાચાર સર્વેએ સેવવાં
નિર્દભપણે, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સદ્દત્રત કરે છે તે દેખીને આડોશીપાડોશી અને બીજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org