________________
શ્રીમદ્ રાજચંદ્ર હાલ સિદ્ધાંતને જે બાંધે જોવામાં આવે છે તે જ અક્ષરમાં અનુક્રમે તીર્થકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કેઈ વખતે કેઈએ વોચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી પૂછ્યું તે તે વખતે તે સંબંધી વાત કહી. વળી કોઈએ પૂછયું કે ધર્મકથા કેટલા પ્રકારે તે કહ્યું કે ચાર પ્રકારે –આક્ષેપણું, વિક્ષેપણું, નિર્વેદણી સંવેગણું. આવા આવા પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણુધરે હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેને બાંધે બાંધે. જેમ અહીં કેઈ વાત કરવાથી કે ધ્યાનમાં રાખી અનુક્રમે તેને બાંધે બાંધે તેમ. બાકી તીર્થકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધર પણ બુદ્ધિમાન હતા એટલે તે તીર્થકરે કહેલાં વા કાંઈ તેમાં આવ્યાં નથી એમ પણ નથી. - સિદ્ધાંતને બાંધે એટલે બધે સખત છે છતાં યતિ લેકોને તેથી વિરુદ્ધ આચરણ કરતા દેખીએ છીએ દાખલા તરીકે કહ્યું છે કે સાધુઓએ ધુપેલ નાંખવું નહીં, છતાં તે લેક નાંખે છે. આથી કાંઈ જ્ઞાનીની વાણીને દેષ નથી; પણ જીવની સમજણશક્તિને દેષ છે. જીવમાં સદ્બુદ્ધિ ન હોય તે પ્રત્યક્ષ ગે પણ તેને અવળું જ પરિણમે છે, અને જીવમાં સદ્દબુદ્ધિ હેય તે સવળું ભાસે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org