________________
૧૩૫
ઉપદેશછાયા [ ૬૫૩–૧૦ ] ૧૩ આણંદ, ભા. વદ ૧૪, સેમ
પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગાએ ગમે તે લિંગ કલ્યાણ થાય તે છે.
- સાચો માર્ગ એક જ છે માટે આગ્રહ રાખે નહીં. હું ઢુંઢિયો છું, હું તપ છું, એવી કલ્પના રાખવી નહીં. દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે, માટે સદાચરણ સેવવાં.
લોચ કરે શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મેહ વધવાનું કારણ છે, નાહવાનું મન થાય; આરીસે લેવાનું મન થાય; તેમાં મેટું જોવાનું મન થાય; અને એ ઉપરાંત તેનાં સાધને માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લેચ કરવાનું કહ્યું છે.
જાત્રાએ જવાને હેતુ એક તે એ છે કે ગૃહવાસની ઉપાધિ નિવૃત્તિ લેવાયસે બસો રૂપિયા ઉપરથી મૂછ ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતા, કોઈ પુરુષ શોધતાં જડે તે કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે. - જે સત્પરુષે બીજા જીવને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે પુરુષોને તે અને તે લાભ પ્રાપ્ત થયે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org