________________
૧૨૭,
ઉપદેશછાયા છે ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી તે દુઃખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે.
અંદર છૂટે ત્યારે બહારથી છૂટે; અંદર છૂટયા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છેડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી.
બાહ્ય અને અંતર અને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેને સંગ કરે, કલાઈને અને ચાંદીને રૂપિ સરખે કહેવાય નહીં. કલાઈ ઉપર સિકકો પાડો પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં જ્યારે ચાંદી છે તેના ઉપર સિકકે ન પડે તે પણ તેની કિંમત જાય નહીં તેવી જ રીતે ગૃહસ્થપણામાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમક્તિ હોય તે તેની કિંમત જાય નહીં. સહુ કહે છે કે અમારા ધર્મથી મેક્ષ છે.
આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મેક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તે મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છેડે, ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સહ સાધન સફળ થાય. આટલા માટે સમ્યફદર્શન શ્રેષ્ઠ છે..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org