________________
ઉપરાક્રયા
૧૫. બાહ્યત્રત અંતરદ્રતને અર્થે છે, જેવી રીતે એકડો. શીખવા માટે લીટોડા છે તેમ. પ્રથમ તે લીટેડા કરતાં એકડે વાંકેચૂકે થાય; અને એમ કરતાં કરતાં પછી. એકડે બરાબર થાય.
જીવે છે જે સાંભળ્યું છે તે અવળું જ ગ્રહણ કર્યું છે. જ્ઞાની બિચારા શું કરે? કેટલુંક સમજાવે ? સમજાવવાની રીતે સમજાવે. મારીફરીને સમજાવ્ય આત્મજ્ઞાન થાય નહીં. આગળ જે જે વ્રતાદિ કર્યા તે માટે તે અફળ ગયાં, હવે પુરુષની દષ્ટિએ તેને પરમાર્થ જુદે જ સમજાશે. સમજીને કરો. એકને એક વાત હેય પણ મિથ્યાદષ્ટિની અપેક્ષાએ બંધ છે, અને સમ્યક્દષ્ટિની અપેક્ષાએ નિજેરા છે; પૂર્વે જે વ્રતાદિ નિષ્ફળ ગયાં છે તે હવે સફળ થવા યેગ્ય સત્પરુષને જેગ છે; માટે પુરુષાર્થ કરે; સદાચરણ ટેકસહિત સેવવાં, મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં, આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં વચને શ્રવણ. થતાં નથી; મનન થતાં નથી. નહીં તે દશા બદલાયા વિના કેમ રહે?
આરંભ પરિગ્રહનું સંક્ષેપ પણું કરવું. વાંચવામાં ચિત્ત ચોંટે નહી તેનું કારણ નીરસ પણું લાગે છે. જેવી રીતે માણસ નીરસ આહાર કરી બેસે તે પછી ઉત્તમ ભેજન ભાવે નહીં તેવી રીતે.
જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળે ચાલે છે; એટલે પુરુષની વાણી કયાંથી પરિણામ પામે? લોકલાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org