________________
૧૧૬
શ્રીમદ્ રાજચંદ્ર તુચ્છપણની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચાર કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તે દૂધ થાય છે; ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજને જે આહાર તેને વિષ્ટાતુલ્ય જાણી, તેની ચર્ચા ન કરવી. તે તરછ વાત છે.
સામાન્ય જીવથી સાવ મૌનપણે રહેવાય નહીં; ને રહે તે અંતરની કલ્પના માટે નહીં; અને જ્યાં સુધી કલ્પના હોય ત્યાં સુધી તેને માટે રસ્તે કાઢ જ જોઈએ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે. પરમા
કામમાં બોલવું, વ્યવહારકામમાં પ્રયોજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર રહેવું; વૃત્તિ ઓછી કરવી.
ક્રોધ, માન, માયા, લેબ મારે પાતળાં પાડવાં છે. એ જ્યારે લક્ષ થશે, જ્યારે લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપે થશે. બાહ્ય પ્રતિબંધ અંતર પ્રતિબંધ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાને અભ્યાસ કરે. કેધાદિ છેડે થડે પાતળા પાડયા પછી સહજરૂપે થશે, પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવે અને તે વિચારમાં વખત ગાળવો. કોઇના પ્રસંગથી ક્રોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org