________________
ઉપદેશછાયા
૧૧૫ છવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે ? કેમ કરીએ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી જ્ઞાન કરી જોઈએ, તે કઈ મારુ નથી એમ જણાય. જે એકની ચિંતા કરે, તે આખા જગતની ચિંતા કરવી જોઈએ. માટે દરેક પ્રસંગે મારાપણું થતું અટકાવવું તે ચિંતા ક૯૫ના પાતળી પડશે. તૃણ જેમ બને તેમ પાતળી પાડવી. વિચાર કરી કરીને તૃષ્ણ એછી કરવી. આ દેહને પચાસ રૂપિયા ખર્ચ જોઈએ. તેને બદલે હજારે લાખની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ બળ્યા કરે છે. બાહ્ય ઉપગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મેટાઈ, તૃષ્ણા પાતળાં પાડવાં. નિર્ધન કેણ? ધન માગે, ઈચ્છે તે નિંધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા તેની દુઃખધા બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લેક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રેમે બળતરા છે. માટે તૃષ્ણા ઘટાડવી.
આહારની વાતું એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે તે કરવી નહીં. વિહારની એટલે સ્ત્રી, કીડા આદિની વાત ઘણું તુચ્છ છે, નિહારની વાત તે પણ ઘણું તુચ્છ છે, શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org