________________
૧૨૦
શ્રીમદ્ રાજચંદ્ર
ક્રિયાના કાંઈ નિષેધ છે જ નહી', પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મેાક્ષ માન્યા છે ત્યાં ત્યાં નિષેધ છે.
"
શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, સહજસમાધિ એટલે બાહ્યકારણેા વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્રમરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કેાઈ લાખ રૂપિયા આપે તે આનદ થાય નહીં; કે કાઇ પડાવી લે તે “ખેદ થાય નહીં. જેને શાતા અશાતા અને સમાન છે તેને સહજસમાધિ કહી. સમક્તિદૃષ્ટિને અલ્પ હર્ષ, અલ્પ શેક કવચિત થઇ આવે પણ પાછે સમાવેશ પામી જાય, અગને હ ન રહે, ખેદ થાય તેવેા ખેચી લે, તે આમ થવું ન ઘટે' એમ વિચારે છે, અને આત્માને નિદે છે. હર્ષી શાક થાય તે પણ તેનુ' ( સમક્તિનુ ) મૂળ જાય નહીં. સમક્તિદૃષ્ટિને અશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની ઢારી જેમ હાથમાં છે તેમ સમક્તિદૃષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમક્તિષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કમ રહ્યાં હાય, પણ પેાતાને સહજસમાધિ છે. બહારનાં કારણેાથી તેને સમાધિ નથી, આત્મામાંથી માહ ગયા તે જ સમાધિ છે. પેાતાના હાથમાં ઢારી નથી તેથી મિથ્યાર્દષ્ટિ બહારનાં કારણેામાં તદાકાર થઈ જઈ તે રૂપ થઈ જાય છે. સમક્તિદૃષ્ટિને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org