________________
ઉપદેશછાયા
૧૦૯ [ ૭૭૮] ૧૧ આણંદ ભાદરવા વદ ૧. ભેમ, ૧૯૫૨
જબુદ્વીપપ્રજ્ઞપ્તિ” નામના જૈનસૂત્રમાં એમ કહ્યું, છે કે આ કાળમાં મેક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટાળવું, અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષનથી,મિથ્યાત્વ ટળવારૂપ મેક્ષ છે; પણ સર્વથા. એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળજ્ઞાન હેય નહિં, બાકી સમ્યક્ત્વ હેય નહીં, એમ હાય નહીં, આ કાળમાં મેક્ષના નહી હેવાપણાની આવી વાતે કોઈ કહે તે સાંભળવી નહીં. સત્પરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હેય નહીં, પુરૂષાર્થને ઉત્તેજન આપવાની હોય.
ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હેય તે તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે શુભ અને અશુભ બને ક્રિયાનાં સંબંધમાં સમજવું. કિયા, શુભ અને અશુભને નિષેધ કહ્યો હોય તે મેક્ષની. અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાનીપુરુષનું કથન હાય જ નહીં. પુરુષનું વચન અધર્મમાં. ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં.
જે કિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org