________________
શ્રીમદ્ રાજચંદ્ર
તેને કેવળજ્ઞાનનું ભાન પ્રગટયું; અને ભાન પ્રગટયું એટલે કેવળજ્ઞાન અવશ્ય થવાનું, માટે આ અપેક્ષાએ સમક્તિદષ્ટિને કેવળજ્ઞાન કહ્યું છે સમ્યક્ત્વ થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયાં ફળ થોડાં ખાધાં, ખાતાં, ખાતાં આયુષ પૂરું થયું તે પછી બીજે ભવ ફળ ખવાય. માટે કેવળજ્ઞાન” આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં, અને કહેવું નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અનંતા ભવ મટી એક ભવ આડે રહ્યો; માટે સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળજ્ઞાન છે, પણ આવરણ ટળે કેવળજ્ઞાન હોય, આ કાળમાં સંપૂર્ણ આવરણ ટળે નહીં. એક ભવ બાકી રહે એટલે જેટલું કેવળજ્ઞાનાવરણીય જાય તેટલું કેવળજ્ઞાન થાય છે. સમક્તિ આબે માંહી-અંતરમાં-દશા ફરે; કેવળજ્ઞાનનું બીજ પ્રગટ થયું. સદ્દગુરુ વિના માર્ગ નથી, એમ મેટા પુરુષેએ કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી.
સમકિતી એટલે મિથ્યાત્વમુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત,
પ્રશ્નઃ-કમ ઓછાં કેમ થાય?
ઉત્તર કોધ ન કરે, માન ન કરે, લેભ ન કરે, તેથી કર્મ ઓછાં થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org