________________
શ્રીમદ્ રાજચંદ્ર કરવાનું છે તે વાત તેઓ ભૂલી ગયા છે. હાલમાં જેનમાં ચોરાસીથી સે ગછ થઈ ગયા છે. તે બધામાં કદાગ્રહ થઈ ગયા છે, છતાં તેઓ બધા કહે છે કે જનધર્મમાં અમે જ છીએ. જનધર્મ અમારે છે.”
પડિમામિ, નિંદામિ; ગરિહામિ, અપૂર્ણ સિરામિ, આદિ પાઠને લૌકિકમાં હાલ એ અર્થ થઈ ગયે જણાય છે કે “આત્માને વસરાવું છું.” એટલે જેને અર્થ, આત્માને ઉપકાર કરવાને છે તેને જ આત્માને જ ભૂલી ગયા છે. જેમાં જાન જોડી હેય. અને વિધવિધ વૈભવ વગેરે હેય, પણ જે એક વર ન હોય તે ન શોભે અને વર હોય તે શેભે; તેવી રીતે ક્રિયા વૈરાગ્યાદિ જે. આત્માનું જ્ઞાન હોય તે શોભે નહીં તે ન શોભે. જનમાં હાલમાં આત્માને ભુલાવ થઈ ગયેલ છે.
સૂત્ર, ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિ પણું, શ્રાવકપણું, હજારે જાતનાં સદાચરણ, તપશ્વર્યા આદિ જે જે સાધને, જે જે મહેનતે, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, કહ્યા છે તે પ્રયત્ન જે આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તે સફળ છે, નહીં તે નિષ્ફળ છે, જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિને છેદ થાય નહીં. જીવને પુરુષને જેગ થાય, અને લક્ષ. થાય, તે તે સહેજે એ જીવ થાય અને પછી. સદગુરુની આસ્થા હોય તે સમ્યક્ત્વ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org