________________
શ્રીમદ્ રાજચંદ્ર સપુરુષ અને સલ્ફાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી સદ્ગુરુ. સન્શાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય કેવળ વતે, પિતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સત્પરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધાવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તે અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ?
ઉપદેશજ્ઞાન અનાદિનું ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તે પુસ્તકને મેક્ષ થાય ? સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું એમાં ભૂલી જવાય તે પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગેખે તે ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવ ગેચર થાય. સદ્દગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આમામાં પરિણમાવે તે કલ્યાણ થાય.
જ્ઞાન અને અનુભવ હોય તે મોક્ષ થાય. વ્યવહારને નિષેધ નહી, એકલા વ્યવહારને વળગી રહેવું નહી.
આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હવાપણું વિચારવામાં આવે તે અનુભવવામાં આવે; નહીં તે તેમાં શંકા થાય છે. જેમાં એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણાને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ આમને સામાન્યપણે જાગૃતિ છે, આત્મા કેવળ ઊઘે નહિં; તેને આવરણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org