________________
૮૬
શ્રીમદ્ રાજચંદ્ર છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતે હેય તેને જ વિચારવાન કહીએ, આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વાનુભવ ગોચર છે, તે ચક્ષુથી દેખાતે નથી, ઈન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે, આત્માને ઉપયોગ મનન કરે તે મન છે. વળગણ છે તેથી મન જુદું કહેવાય, સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે
ઉપગ. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને પુરુષને બેધ લાગે છે. આયુષને બંધ હોય તે રોકાય નહીં.
જીવે અજ્ઞાન ગ્રહ્યું છે તેથી ઉપદેશ પરિણામે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાને રસ્તો નથી. જ્યાં સુધી લેકના અભિનિવેશની કલ્પના કર્યા કરે ત્યાં સુધી આત્મા ઊંચે આવે નહીં અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. ઘણા જ સપુરુષને બધ સાંભળે છે, પણ તેને વિચારવાને વેગ બનતું નથી,
ઈન્દ્રિયેને નિગ્રહનું ન હોવાપણું, કુળધર્મને આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણે તેય રખડ! ચૌદ રાજલક જાણે પણ દેહમાં રહેલે આત્મા ન ઓળખ્યો; માટે રખડ ! જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ પુરુષની દષ્ટિએ ચાલવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org