________________
ઉપદેશછાયા
૮૫
પરમવૈદ્યરૂપી સદ્ગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પિરણામ પામે ત્યારે રાગ જાય; પણ તે દવા અંતરમાં ન ઉતારે, તે તેના કાઈ કાળે રાગ જાય નહી. જીવ ખરેખરું' સાધન કરતા નથી. જેમ આખા કુટુંબને આળખવુ' હાય તે પહેલાં એક જણને ઓળખે તેા બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યક્ત્વનુ ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણારૂપી કુટુંબનું ઓળખાણ થાય. સમ્યક્ત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિએ ઘટાડી અંતરપરિણામ કરે, તે સમ્યકૃત્વના માર્ગ આવે. ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્યે ગામ સામુ ન આવે. જીવને યથા સત્પુરુષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી.
અહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્માપણું થવું જોઈએ. દૂધ ને પાણી જુદાં છે તેમ સત્પુરુષના આશ્રચે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાંય, અંતરમાં પોતાના આત્માનુભવરૂપે, જેમ દૂધ ને પાણી જુદાં થાય તેમ દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્માપણું પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્નમાં પણ જુદો જ ભાસે, કેાઈ વખત જેને આત્માની ભ્રાન્તિ થાય જ નહીં તેને જ પરમાત્માપણું' થાય.
અંતરાત્મા નિર'તર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે. ચૌદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org