________________
ઉપદેશછાયા
આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણપણમાં ન્યૂનતા છે, યથાત જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દઢ કરે તે ન્યૂનતા માટેજ્ઞાની પુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. પુરુષના આશ્રયે લે તે સાધનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષોનાં વચન આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અવત, પ્રમાદ, અશુભયોગ વગેરે બધા દોષે અનુક્રમે મેળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષ નાશ થાય છે. પુરુષે પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લેકમાગમાં પડી રહેવું છે; અને લેક ત્તર કહેરાવવું છે ને દેષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લેકને ભય મૂકી પુરુષોનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દેષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વને માર્ગ આત્મામાં પરિણામ પામ કઠણ છે. - વેદાંતશાસો વર્તમાનમાં સ્વચ્છેદથી વાંચવામાં આવે છે, ને તેથી શુષ્કપણે જેવું થઈ જાય છે. વદર્શનમાં ઝઘડો નથી. પણ આત્માને કેવળ મુક્તદષ્ટિએ જોતાં તીર્થકરે લાંબે વિચાર કર્યો છે. મૂળ લક્ષગત થવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org