SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અબ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય પણ રોગનું મુખ્ય સાધન છે. જીવનનાં ત્રણ આલંબનો છે - બ્રહ્મચર્ય, આહાર અને નિદ્રા. કામનો અતિરેક, આહારની અધિકતા અને નિદ્રાની અધિકતા એ ત્રણેય રોગનાં કારણ બને છે. તે તમામ ઉપર નિયંત્રણ કરવું એ સંયમ છે. સંયમ અર્થાત મસ્તિષ્ક ઉપર નિયંત્રણ. જેણે મસ્તિષ્ક ઉપર નિયંત્રણ કરવાનું શીખી લીધું છે તે ખૂબ સ્વસ્થ રહી શકે છે. ક્રોધનો સંવેગ પ્રબળ થવાથી માણસ બીમાર પડી જાય છે. તેનું કારણ છે મસ્તિષ્કમાં તનાવ. મસ્તિષ્કમાં તનાવ જાગતાં જ સ્નાયુતંત્ર નબળું બની જાય છે. જેનું સ્નાયુતંત્ર નબળું બને છે તેના ઉપર રોગનું આક્રમણ થતું રહે છે. આયુર્વેદ એમ માને છે કે ક્રોધ થકી પિત્તનો પ્રકોપ વધે છે. તેનાથી એસીડીટી વધે છે, અલ્સર થઈ જાય છે. આરોગ્ય અને મસ્તિષ્ક આરોગ્ય અને મસ્તિષ્ક એ બંનેને ગાઢ સંબંધ છે. જે માણસ મસ્તિષ્ક ઉપર નિયંત્રણ કરવાનું નથી જાણતો, નિયંત્રણની વિધિઓ નથી જાણતો તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક દૃષ્ટિએ પણ સ્વસ્થ રહી શકતો નથી. આગંતુક બીમારીઓ ઉપર કદાચ તેનું નિયંત્રણ ન પણ હોય પરંતુ મોટીમોટી જે બીમારીઓ છે તેનો સંબંધ સંયમ અને અસંયમ સાથે વિશેષ છે. શરીરશાસ્ત્રમાં મસ્તિષ્કનું ઊંડું અધ્યયન થયું છે. તેમાં અલ્ફા અને થેટા જેવા તરંગોનું અધ્યયન થયું છે. અલ્ફા દ્વારા મસ્તિષ્કનો તનાવ ઘટે છે. એનું તાત્પર્ય એ છે કે ગ્રંથિઓનો સ્ત્રાવ સંતુલિત બને છે. જ્યારે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સંતુલિત થવા લાગે છે ત્યારે માણસ સ્વસ્થ રહે છે. આરોગ્ય છે સમતા આપણે અધ્યાત્મનાં આ તત્ત્વો ઉપર વિચાર કરીએ અને પર જીવનશૈલીમાં તેમનો સમાવેશ કરીએ. સમતા અધ્યાત્મનું તત્ત્વ છે. તે સમતાનો અર્થ છે – સમભાવ, ક્યાંય ઝુકાવ નહિ અને ક્યાંય વિષમતા નહિ. ન ચિંતનનું વૈષમ્ય અને ન કાર્યનું વૈષમ્ય. આયુર્વેદનું એ મહારનું આરોગ્યશાસ્ત્ર + s૮ ક. Mા છે ' For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy