SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ શકતો નથી કે મસ્તિષ્ક ઉપર નિયંત્રણ નથી હોતું. જો મસ્તિષ્ક ઉપર નિયંત્રણ હોય તો તત્કાળ આહારનો સંયમ થઈ શકે છે. શ્રમ, સ્વાથ્ય માટે પરમ આવશ્યક તત્ત્વ છે. શ્રમ વગર લોહીનો સંચાર પણ થતો નથી અને વ્યક્તિ સ્વસ્થ રહી શકતી નથી. મહાવીરે અત્યશન એટલે કે વધુ પડતા ખોરાકને પણ રોગનું એક કારણ ગણાવ્યું છે. વધુ પડતા બેસી રહેવું એ પણ રોગનું એક કારણ છે. કેટલાક લોકો સાત-આઠ કલાક બેસી રહે છે. તેઓ શ્રમથી દૂર ભાગે છે અને રોગથી આક્રાંત થઈ જાય છે. અનિદ્રા : અતિનિદ્રા અનિદ્રા કે અતિનિદ્રા એ પણ રોગનું કારણ બને છે. નિદ્રા આરોગ્ય માટે આવશ્યક છે, અનિવાર્ય છે તેથી અનિદ્રા અને અતિનિદ્રાથી બચવું જોઈએ, સંયમિત નિદ્રા લેવી જોઈએ. આયુર્વેદમાં પણ અતિનિદ્રાને કારણે થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ છે. તેમાં દિવાશયન એટલે કે દિવસે સૂઈ જવાનો નિષેધ છે. આયુર્વેદના મત મુજબ નિદ્રા અને કફને સંબંધ છે. યોગના મત મુજબ વિચારવાથી આ તથ્ય સ્પષ્ટ થાય છે કે અતિનિદ્રાને કારણે આયુષ્ય ઘટે છે. નિદ્રા દરમ્યાન શ્વાસની સંખ્યા વધી જાય છે. વધુ પડતી નિદ્રા લેનાર વ્યક્તિ જીવનશક્તિને ઓછી કરી નાખે છે. અતિ જાગરણ પણ રોગનું એક કારણ છે. વાણીનો અસંયમ વાણીનો અસંયમ પણ રોગ પેદા કરે છે. તેને કારણે પણ જીવનશક્તિ વધુ વપરાય છે. જૈવિક શક્તિના ઘસારાનાં ત્રણ મુખ્ય સાધનો છે – આંખ, વાણી અને જનનેન્દ્રિય. આંગળીઓમાંથી પણ વિદ્યુત નીકળે છે. જે લોકોએ આભામંડળને જોયું છે અથવા જેઓ | આભામંડળને જોવાનું જાણે છે તેમને ખબર છે કે આંગળીઓમાંથી વિદ્યુતનો પ્રવાહ નીકળે છે. વધુ પડતું બોલનાર વ્યક્તિ પોતાની * જીવનશક્તિનું વધુ પડતું નુકસાન કરે છે. આ જ કા રાજા મહાવીરનું આયશાસ્ત્ર છે કે કક : શીતલ જ ન થી , -કાકી જો જરા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy