SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક રોગ : બાહ્ય રોગ રોગના બે પ્રકાર છે : બાહ્ય ઉપાય-સાધ્ય અને આત્યંતર ઉપાય-સાધ્ય. જૈન આગમોના આધારે રોગ બે વિભાગમાં વિભક્ત છે – આધ્યાત્મિક રોગ અને બાહ્ય રોગ. કર્મ દ્વારા થતા રોગ આધ્યાત્મિક રોગ છે. તે ભીતરમાં પેદા થાય છે, તેનું બહાર કોઈ નિમિત્ત મળતું નથી. બાહ્ય રોગ બાહ્ય નિમિત્તો દ્વારા ઉત્પન્ન થાય છે. તે બહારના ઉપાયોથી સાધ્ય બને છે. તેમની બાહ્ય સાધનો દ્વારા ચિકિત્સા કરી શકાય છે. આધ્યાત્મિક રોગોની ચિકિત્સા બાહ્ય સાધનો દ્વારા કરી શકાતી નથી કારણ કે તે રોગના પરમાણુઓ એટલા બધા પ્રબળ હોય છે કે તે બાહ્ય ઔષધિઓને સ્વીકારતા નથી, તેમને નકારી દે છે. તેમની ચિકિત્સા આવ્યંતર ઉપાય દ્વારા સાધ્ય બને છે. આપણે તેને એક આગમિક ઘટના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કમાર અનાથી ધનાઢ્ય શેઠનો પુત્ર હતો. એક વખત તેની આંખોમાં ભયાનક વેદના થવા લાગી. તેની વેદના અસહ્ય હતી, અસીમ હતી. ઘણા બધા ઉપચાર કર્યા. પિતાએ તેના ઉપચાર કરાવવામાં અઢળક ધન વાપર્યું. દૂર દૂરથી પ્રાણાચાર્યોને બોલાવ્યા. અનેક તાંત્રિકો અને માંત્રિકો પણ આવ્યા. સૌએ પોતપોતાની રીતે ચિકિત્સા કરી, પરંતુ વેદના ઓછી ન થઈ. એની તીવ્રતા યથાવત રહી. કુમાર અનાથીએ આત્યંતર ચિકિત્સાનો પ્રયોગ કર્યો. તેઓ જાણી ગયા કે એ કર્મજ બીમારી છે. તેમણે મનોમન સંકલ્પ કર્યો. કર્મો ઉપર સંકલ્પનો પ્રહાર થયો અને કુમાર અનાથીની આંખની વેદના શાંત થવા લાગી. જ્યારે કોઈ ચિકિત્સા પદ્ધતિ સફળ નથી થતી, ત્યારે સંકલ્પ દ્વારા કરવામાં આવતી ચિકિત્સા પદ્ધતિ સફળ થાય છે. કર્મજ બીમારી માટે આ પદ્ધતિ જ કામિયાબ બની શકે છે. વિશ્વાસ દ્વારા ચિકિત્સા કરી શકાય છે. સંકલ્પ અને ભાવશુદ્ધિ દ્વારા ચિકિત્સા કરી શકાય છે. ભાવશુદ્ધિ અને માનસિક શુદ્ધિ પણ રોગ-નિવારણમાં સહાયક બને, છે. આપણે રોગનાં કારણો સમજીએ અને એ જાણીએ કે રોગ બાહ્ય આ નિમિત્તો દ્વારા પેદા થયો છે કે આંતરિક નિમિત્તો દ્વારા. જો રોગ ની આંતરિક કારણો દ્વારા ઉત્પન્ન થયો હોય તો ત્યાં આવ્યંતરિક ચિકિત્સા T સફળ થશે, બાહ્ય ચિકિત્સા નહિ. તમામ ચિકિત્સા પદ્ધતિઓ સર્વત્ર મી છેમહાવીરનું મારો યથાવ 30 પોતે * ' , , , , For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy