SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ D. LL કર્મબંધનાં કારણો આ મુજબ છે : 9 પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની અનુકંપા a પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વને દુઃખી ન કરવું દીન ન બનવું શરીરનો અપચય કરનારો શોક પેદા ન કરવો અશ્રુપાત કરાવનાર શોક પેદા ન કરવો 0 લાકડી વગેરેનો પ્રહાર ન કરવો | શારીરિક પરિતાપ ન આપવો. સાતા વેદનીય શરીર પ્રયોગ નામકર્મનો ઉદય. અસાત વેદનીય કર્મબંધનાં કારણોમાં પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની અનુકંપા ન કરવી, તેમને દુઃખી કરવા, દીન બનાવવા, શરીરનો અપચય કરનાર શોક પેદા કરવો, અગ્રુપાત કરાવનારો શોક પેદા કરવો, લાકડી વગેરેથી પ્રહાર કરવો, શારીરિક પરિતાપ આપવો તથા અસાતા વેદનીય શરીર પ્રયોગ નામકર્મનો ઉદય વગેરે છે. એક ઝુંખલા બને છે – રોગ, અસાત વેદનીય કર્મનો બંધ તથા અસાત વેદનીય કર્મના વિપાકની પરિસ્થિતિઓની. કોઈ રોગના રોગીને જોઈને માત્ર તેના વ્યાધિનું નિદાન કરવું, અષૌધિ દ્વારા તેની ચિકિત્સા કરવી, રોગ-ઉપશમનનો ઉપાય કરવો આ બધી સ્થૂળ ઘટનાઓ છે. એમ થાય ત્યારે અસાત વેદનીયનો વિપાક પ્રબળ નથી થતો, બીમારી મટી જાય છે. આવું એવી સ્થિતિમાં બને છે કે જ્યારે કર્મબંધ મંદ હોય. જો અસાત વેદનીય કર્મબંધ તીવ્ર હોય તો હજારો દવાઓ આપવા છતાં રોગ દૂર થતો નથી. આજે ડૉક્ટરો, વૈદ્યો તથા રોગીઓ પોતે એમ માને છે કે વર્ષો સુધી દવાઓ લેવા છતાં રોગથી મુક્તિ મળતી નથી. આ કર્મજ રોગીની સ્થિતિ છે. કોઈ ગાઢ કર્મ કરેલું હોય, ક્રૂરતાની પ્રવૃત્તિ કરવામાં આવી હોય તો તેના થકી ઉપાર્જિત અસાત વેદનીય કર્મના પુગલ એટલા બધા પ્રબળ બની જાય છે કે પછી બીમારી અસાધ્ય બની જાય છે. ઉપચાર કરવા છતાં તે પુદ્ગલ એટલો બધો પ્રભાવ પાડે. છે કે રોગી અર્થહીન અને શક્તિહીન બની જાય છે. તે તમામ ચિકિત્સા પદ્ધતિઓને વ્યર્થ કરી મૂકે છે. તે મા : આ બધાની સાથે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy