SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આગંતુક રોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભલે આર્યુવેદની ભાષામાં વાત વગેરે દ્વારા ઉત્પન્ન રોગ હોય અથવા મેડિકલની ભાષામાં વાયરસ વગેરે દ્વારા ઉત્પન્ન રોગ હોય તે પણ આગંતુક રોગ છે. તે અસાત વેદનીય કર્મને ખેંચીને ઉદયમાં લઈ આવે છે. એક માણસ સુખનું સંવેદન કરે છે. તેની સામે કોઈ સમસ્યા નથી. તે માણસ બેઠો છે અને એકાએક એક ગાડી આવીને તેની સાથે ટકરાઈ જાય છે. તે આગંતુક સ્થિતિ છે. એ સ્થિતિ અસાત વેદનીયને ખેંચીને ઉદયમાં લઈ આવે છે અને માણસ કષ્ટનો અનુભવ કરવા લાગે છે. તે વખતે અકુશળ સ્થિતિ હોવાથી માણસ અસાત વેદનીયનો અનુભવ કરવા લાગે છે. એવી પણ સ્થિતિ પેદા થાય છે કે કોઈ માણસ સાત વેદનીયનો અનુભવ કરી રહ્યો હોય અને અચાનક તે અસાતનો અનુભવ કરવા લાગી જાય. આપણે ભલે તેને આગંતુક રોગ સમજીએ કે સમસ્યા સમજીએ, તેના વિશે આયુર્વેદના આચાર્યોએ વિચાર કરતાં કહ્યું કે આગંતુક બીમારી પણ આપણાં વાત, પિત્ત અને કફને પ્રભાવિત કરે છે અને આપણને રોગનો અનુભવ થવા લાગે છે. એ છે અસાત વેદનીય કર્મની ઉદીરણા. એક સ્થિતિ એ છે કે કર્મ પોતાની પ્રક્રિયા થકી ઉદયમાં આવે છે, વિપાકમાં આવે છે. જ્યારે અસાત વેદનીય કર્મ વિપાકમાં આવે છે ત્યારે તે આપોઆપ અકુશળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, વ્યક્તિને અસાતાનો અનુભવ કરાવે છે. અસાતનો અનુભવ થવાથી રોગ સાથે સંબંધ જોડાઈ જાય છે. શરીરને કષ્ટનો અનુભવ થાય છે, દુઃખનું સંવેદન થાય છે અને કોઈ ને કોઈ રોગ પેદા થાય છે. એ જાણી લેવું કે કયા કર્મના વિપાકથી કઈ બીમારી પેદા થાય છે – અત્યંત મુશ્કેલ છે. તે સૂક્ષ્મ તથ્ય છે. સૂક્ષ્મતામાં જવાથી એ જાણી શકાય છે કે કયો કર્મવિપાક ક્યા રોગ માટે જવાબદાર છે. સ્થળ દૃષ્ટિએ જોવામાં આવે તો એ સ્પષ્ટ જ્ઞાત થઈ જાય છે કે સંવેદન થાય છે અને તે સંવેદન કોઈને કોઈ રોગને કારણે થાય છે. રોગ અને કર્મ રોગ અને કર્મનો સંબંધ આચરણશાસ્ત્ર સાથે જોડાયેલો છે. અસાત વેદનીય તથા સાત વેદનીય કર્મનો બંધ કઈ રીતે થાય છે? આ વિષયની ચર્ચા અનેક આગમોમાં પ્રાપ્ત છે. સાત વેદનીય સોમનાથ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy