SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી રીતે થાય છે અને કોના દ્વારા થાય છે જાણવું આવશ્યક છે. ઘટના ઘટના હોય છે. તે ન તો સુખ આપે છે કે ન તો દુઃખ આપે છે. જ્યારે આપણી ચેતના તે ઘટના સાથે જોડાય છે ત્યારે સુખદુઃખનો અનુભવ થાય છે. માત્ર ઘટના દ્વારા કોઈ સુખ કે દુઃખનો અનુભવ થતો નથી. જો ઘટના દ્વારા સુખ કે દુઃખનો અનુભવ થતો હોત તો મોટું ઑપરેશન થઈ જ ન શકત. જ્યારે મોટું ઑપરેશન થાય છે ત્યારે રોગીને એનેસ્થેસિયા સુંઘાડવામાં આવે છે અથવા શરીરના રોગગ્રસ્ત અવયવને શૂન્ય (બહેરો) ક૨વાના અન્ય પ્રયોગો કરવામાં આવે છે. તેનાથી કષ્ટનું સંવેદન મસ્તિષ્ક સુધી પહોંચી શકતું નથી. તેમનો માર્ગ અવરોધી દેવામાં આવે છે. આવા સંજોગોમાં કષ્ટનો અનુભવ થતો નથી. તેનાથી સ્પષ્ટ છે કે આપણને સુખ કે દુઃખનો અનુભવ કોઈ ઘટના વિશેષ દ્વારા નથી થતો, પરંતુ જ્યારે આપણી મસ્તિષ્ક્રીય ચેતના તેની સાથે જોડાય છે ત્યારે આપણને સુખ કે દુઃખનો અનુભવ થાય છે. શરીર સુખ-દુઃખના અનુભવનું સાધન માત્ર છે, પરંતુ સુખદુઃખનો અનુભવ જે કરે છે તે તો આપણી ચેતના છે. આપણે તેને સમજવી પડશે. જે ચેતના સુખનો અનુભવ કરે છે, દુઃખનું સંવેદન કરે છે તે કોનાથી પ્રભાવિત થઈને કરે છે, તે આપણે સમજવું પડશે. આ સમસ્યા વિશે ચિંતન કરતી વખતે કર્મ આપણી સમક્ષ આવે છે. કર્મો આઠ છે, તેમાં એક છે વેદનીય કર્મ, તેનું કાર્ય ચેતનાને પ્રભાવિત કરવાનું છે. તેનાથી સુખનું સંવેદન થાય છે, દુઃખનું સંવેદન થાય છે, પ્રિયતા અને અનુકૂળતાની સ્થિતિમાં સુખનું સંવેદન થાય છે અને અપ્રિયતા તથા પ્રતિકૂળતાના સંજોગોમાં દુઃખનું સંવેદન થાય છે. આ બધું વેદનીય કર્મના પ્રભાવ થકી થાય છે. આ સંવેદન માટે, કર્મ વિપાક માટે સામગ્રીનું નિર્માણ થાય છે. તેને નો-કર્મ કહે છે. કર્મ અને નો-કર્મ અલગ-અલગ છે. નો-કર્મ કર્મની સહાયક સામગ્રી છે. તે રોગનું કારણ બને છે. જ્યારે અસાત વેદનીયનું સંવેદન થાય છે ત્યારે શરીર અને મનમાં રોગની સ્થિતિ પેદા થઈ જાય છે. ત્યારે જ અસાત વેદનીય કર્મ પોતાનું ફળ આપી શકે છે, સંવેદન કરાવી શકે છે. મહાવીરનું આોગ્યશાસ્ત્ર * ૫૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy