SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ રુષ્ણ (રોગી) કોણ ? જીવનની બે મુખ્ય ઘટનાઓ છે – સુખ અને દુઃખ. સુખની સાથે આરોગ્યને ગાઢ સંબંધ છે. સુખના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાંનો એક પ્રકાર છે આરોગ્ય. દુઃખના પણ અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેમાંનો એક પ્રકાર છે રોગ. આરોગ્ય સુખ છે અને રોગ દુઃખ છે. રોગ દુઃખ છે તેથી કોઈ રોગી બનવા નથી ઇચ્છતું. પ્રશ્ન એ છે કે વ્યક્તિ રોગી બનવા નથી ઇચ્છતી તો પછી તે રોગી બને છે કેમ ? કયો અવયવ રોગી બને છે ? આપણી સમક્ષ વિમર્શનીય વિષય એ છે કે શું આપણે અવયવ અને અવયવીને અલગ માનવાં ? તેમને સર્વથા અલગ અલગ માનવાં ? રુણ કોણ છે, અંગ કે અંગી ? એકાંત દૃષ્ટિએ વિચાર કરવાથી આ પ્રશ્નનું સમાધાન મળતું નથી. અનેકાન્તની દૃષ્ટિએ અવયવ અને અવયવીને અલગ પણ નથી પાડી શકાતાં અને તે બંનેને એક જ પણ માની શકાતાં નથી. રોગી બને છે સમગ્ર શરીર ભગવતી સૂત્રનો એક પ્રસંગ છે. ભગવાન મહાવીરે ગૌતમને પૂછ્યું, “ગાડીનું આ જે પૈડું છે તે પૂર્ણ છે કે ખંડિત છે ? આ છત્ર ખંડ છે કે અખંડ ?' ગૌતમે કહ્યું, “ભંતે ! જે ખંડ છે તે ! ચક્ર નથી, જે ખંડ છે તે છત્ર નથી. જ્યારે તે પૂર્ણ બને છે ત્યારે તે ! ચક્ર અને છત્ર બને છે.” આપણું સમગ્ર શરીર પરિપૂર્ણ છે. આપણે કોઈ અવયવને જી વહેંચીને જોઈ શકતા નથી. સમગ્ર શરીર રોગી બને છે. ભગવાન મહાવીરે ખૂબ વિસ્તૃત ચર્ચા રજૂ કરી. એક પરમાણુ બીજા પરમાણુને કરવાની તક મળી મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૪૫ણ ટેક..આજના રે હો રાજા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy