SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારેક સફેદ રંગનો હોય છે. તમામ રંગોનો શ્વાસ હોય છે. આપણે જે શ્વાસ લઈએ છીએ તે ક્યારેક ખાટો હોય છે, તો ક્યારેક મીઠો હોય છે, ક્યારેક એમાં તીખાશ પણ હોય છે. બહારના જગતમાં જેટલા રસ છે એ તમામ રસ આપણા શ્વાસમાં પણ હોય છે. ક્યારેક આપણો શ્વાસ સુંગધથી સભર હોય છે તો ક્યારેક આપણો શ્વાસ દુર્ગધથી ભરેલો હોય છે, ક્યારેક આપણો શ્વાસ મૃદુ સ્પર્શનો હોય છે તો ક્યારેક કઠોર સ્પર્શનો હોય છે. આ તમામ બાબતો શ્વાસ સાથે જોડાયેલી છે. આ તમામ પુદ્ગલો સાથે આભામંડળ સંબંધિત છે. આ દરેકના આધારે જોઈએ તો શ્વાસ કેવો લીધો ? અને સૂક્ષ્મતામાં જઈએ, વિશ્લેષણ કરીએ -- રવિવારનો શ્વાસ કેવો હશે ? રવિવારે આપણે સૂર્યની કોસ્મિક રેજ લઈ રહ્યા છીએ, સોમવારે આપણે ચંદ્રમાની કોસ્મિક રેજ લઈ રહ્યા છીએ. તેમની સાથે ગ્રહોનો સંબંધ છે, ભાવોનો સંબંધ છે. જ્યોતિષમાં એમ કહેવામાં આવે છે કે ગ્રહોનો પ્રભાવ પડે છે. ગ્રહો સીધો પ્રભાવ નથી પાડતા, પરંતુ ગ્રહોમાંથી આવતાં વિકિરણો આપણા ભાવો ઉપર પ્રભાવ પાડે છે. ભાવ મન ઉપર પ્રભાવ પાડે છે, શરીર ઉપર પ્રભાવ પાડે છે. સ્વાથ્ય અને અસ્વાથ્યની સમસ્યા ઊભી થાય છે, અન્ય પણ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. ભાવ વિશુદ્ધિ સાથે જોડાયેલો છે આરોગ્યનો પ્રશ્ન આપણે આરોગ્યની સમસ્યાના સંદર્ભમાં થોડાક ઊંડાણમાં જઈએ તો આપણે ઘણાં આગળ જવું પડશે. જેટલું આજે માનવામાં આવી રહ્યું છે, જેટલું સત્ય આજે મળ્યું છે તે એટલું નથી, હજી પણ આગળ જવું પડશે. મહાવીરે બે દૃષ્ટિએ વિચાર કર્યો : નિશ્ચય નય અને વ્યવહાર નય. વ્યવહારમાં જે ઘટના ઘટે છે તે આપણી સમક્ષ મોડેથી આવે છે. નિશ્ચયમાં કોઈ નિયમ નથી, કોઈ વ્યવહાર નથી. તે ઘટના ભાવજગતમાં છ મહિના પહેલાં, એક વર્ષ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં ઘટિત થઈ જાય છે. તે ભાવજગતમાં પોષણ પામતી રહે છે. શરીરમાં પણ એવું થાય છે. અનેક લોકોને કેન્સરની બીમારી થઈ જાય છે. ડૉક્ટર કહે છે કે કેન્સર એક વર્ષથી છે, પરંતુ ખબર નથી પડતી. મનની બીમારીની ખબર એના કરતાં પણ દુર્લભ છે. - ભાવજગતની બીમારીની જાણકારી તો ઘણી દુર્લભ બની જાય છે. આ ૧ વાર છે gadh કાકી: - વ , , જી. મહાવા આadટાક્ષાર શ્રી ( ) , Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy