SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આ તમામ વિશે વિચાર કરીએ તો ભાવની શુદ્ધિ અને આરોગ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થઈ જશે. ભાવની વિકૃતિ રોગને જન્મ આપે છે. ભય પેદા થશે તો બીમારી આવશે જ. ભયની સાથે અનેક બીમારીઓ જોડાયેલી છે. ઉત્કંઠા પેદા થશે તો બીમારી આવશે જ. કોઈ એક ચીજ પ્રત્યે ઉત્સુકતા અને અતિ લાલસા થાય તો તે પણ ભંયકર બીમારી ઉત્પન્ન કરે છે. આ ઉત્કંઠા કે ઉત્સુકતા થાઈરોઈડને પ્રભાવિત કરે છે. જેના થકી થાઈરોક્સિનની પ્રક્રિયા બદલાઈ જાય છે, ચયાપચયની ક્રિયા બદલાઈ જાય છે. ઉદાસી, સ્વભાવનું ચીડિયાપણું, અવસાદ, ડિપ્રેશન વગેરે બીમારીઓ પેદા થઈ જાય છે. આ બીમારીઓનું મૂળ ક્યાં શોધવું ? શરીરમાં તો કોઈ કારણ બન્યું નથી. ન કોઈ જીવાણું આવ્યો કે ન કોઈ કીટાણું આવ્યો - કોઈ જ કારણ બન્યું નથી. તો પછી આ બીમારીઓ શી રીતે પેદા થઈ. તેનું કારણ શોધવું પડશે ભાવજગતમાં. અતિ ઉત્સુકતાનો ભાવ, ભયનો ભાવ, ક્રોધનો ભાવ – આ તમામ આપણા આરોગ્યની શૃંખલામાં ગરબડ પેદા કરે છે. તે પ્રત્યક્ષ પોતાની અસર પાડતા નથી. તે પ્રથમ નાડીતંત્રને અસ્તવ્યસ્ત કરે છે, નર્સ સિસ્ટમ ખોરંભાય છે. તે ગ્રંથિતંત્રને અસ્તવ્યસ્ત કરે છે. જ્યારે નાડીતંત્ર અને ગ્રંથિતંત્રની ક્રિયા ખોરંભાય છે ત્યારે બીમારીઓને ખુલ્લું આમંત્રણ મળી જાય છે. તેથી જ્યારે આરોગ્ય વિશે વિચાર કરીએ અને મહાવીરની વાણીને નજર સામે રાખીને વિચાર કરીએ ત્યારે આપણે શરીરથી પર જઈએ, મનથી પર જઈએ અને ભાવજગતમાં પ્રવેશ કરીએ, ભાવજગતની સમગ્ર શૃંખલાને સમજી લઈએ. એનો નિષ્કર્ષ હશે – ભય દૂર કરવો છે, અભય પેદા કરવો છે તો ભાવની વિશુદ્ધિ કરો. તમારો ભય દૂર થશે, અભય પુષ્ટ થશે. આભામંડળ અને ભાવવિશુદ્ધિ, ભાવની વિશુદ્ધિથી લેણ્યા વિશુદ્ધ બની જાય છે, આભામંડળ બદલાઈ જાય છે. પ્રેક્ષાધ્યાનમાં આભામંડળના ધ્યાનના ઘણા પ્રયોગ તે થાય છે. આપણા રંગ શ્વાસ સાથે જોડાયેલા છે. આપણે શ્વાસ લઈએ છીએ. આપણને ખબર નથી કે ગૃહીત શ્વાસમાં કયો રંગ છે. આપણો છે શ્વાસ ક્યારેક કાળા રંગનો હોય છે ક્યારેક નીલા રંગનો હોય છે, છે ક્યારેક લીલા રંગનો હોય છે, ક્યારેક પીળા રંગનો હોય છે તો - દમ: . " છે કે 3 41 4 n o : ' , , , , , , , મહs' છે કે મહાવીરનું આટોયાટ્ય જ 3 લોક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy