SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડ પ્રદેશમાં લોકો છાશને ગરમ કરે છે તેની ઉપર જે પાણી આવે છે તે થોડું રંગીન જેવું પાણી હોય છે, તેને આશનું પાણી કહે છે. સાધ્વીજીએ એવું આશનું પાણી પીને બાર મહિના સુધી પોતાનું જીવન ચલાવ્યું અને તે પણ સારી રીતે ચલાવ્યું. તેઓ સ્વસ્થ રહ્યાં. અનેક સાધ્વીઓએ આશના પાણીના આધારે છ મહિના અને ચાર મહિનાનાં તપ કર્યાં. અનેક ડૉક્ટર્સ આવ્યા. તેમણે કહ્યું કે આવું થઈ શકે નહિ, પરંતુ આંખોની સામે જે કાંઈ થઈ રહ્યું હતું તેનો અસ્વીકાર પણ શી રીતે કરી શકે ? એનું કારણ એ જ છે કે જ્યારે ભાવતંત્ર શક્તિશાળી બની જાય છે, સ્વસ્થ બની જાય છે, તે કોઈપણ ઉત્તેજના પેદા કરતું નથી, સંવેગ પેદા કરતું નથી ત્યારે તેવા સંજોગોમાં શરીર પણ તેને સહયોગ આપે છે અને એવા સ્રાવોનું નિર્માણ કરી દે છે કે જે શરીર માટે પોષક તત્ત્વો બને છે. ભાવ અને રોગ ભાવ અને રોગ - આ વિશે પણ વિચાર કરીએ. એક બહુ સરસ શ્લોક રજૂ કરવામાં આવ્યો. ભીતરની વિશુદ્ધિ દ્વારા બહારની શુદ્ધિ થાય છે અને ભીતરની અશુદ્ધિ દ્વારા બહારની અશુદ્ધિ કે દોષ ઉત્પન્ન થાય છે અન્તર્વિશુદ્ધિતો જન્તો, શુદ્ધિઃ સંપદ્યતે બહિઃ । બાહ્ય હિ કુરુતે દોષ, સર્વમન્તરદોષતઃ ॥ આપણે બહારની બાબતો ઉપર વિશેષ ધ્યાન આપીએ છીએ. વાય૨સ અને જર્મ્સ તરફ ધ્યાન આપીએ છીએ, તેમને બીમારીનું મૂળ સમજીએ છીએ. આપણે મનને પણ ગૌણ કરી દઈએ છીએ અને મનથી આગળ જઈએ તો ભાવને પણ ગૌણ કરી દઈએ છીએ. આપણી જે ઈમ્યુનિટી સિસ્ટમ છે, જે રેજિસ્ટન્સ પાવર છે, જે રોગપ્રતિરોધક ક્ષમતા છે, તે આ બાહ્ય તત્ત્વો ઉપર નિર્ભર નથી. તેનો સ્રોત છે મનની પવિત્રતા, તેનાથી પણ આગળનો સ્રોત છે ભાવોની પવિત્રતા, લેશ્યાની પવિત્રતા. એનાથી પણ આગળ જઈએ તો તેનો સ્રોત છે અધ્યવસાયની પવિત્રતા અને એનાથી પણ આગળ એક સ્રોત છે કષાયની ઉપશાન્તિ. મહાવીરનું આસેમ્યાસ્ત્ર * રદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy