SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નિષેધાત્મક ભાવ શાંત છે, ન કોઈના વિશે ખરાબ વાત વિચારે છે, ન કોઈની ઈર્ષ્યા કરે છે, ન કોઈની ધૃણા કરે છે તો કેન્સરની બીમારીની સંભાવના ખૂબ ઓછી થઈ જશે. કેન્સરનું એક કારણ માદક વસ્તુઓનું સેવન છે. જો ભીતરમાં ભાવ શુદ્ધ હશે તો માદક વસ્તુઓનું સેવન પણ કરવું નહિ પડે. જો ભાવની સાથે આરોગ્યનો વિચાર કરીએ, ભાવ જગતમાં થનારા પરિવર્તનની સાથે આરોગ્યનો વિચાર કરીએ તો ઘણીબધી બીમારીઓથી બચી શકાશે. વીતરાગતાની સાધના માત્ર આધ્યાત્મિક સાધના જ નથી, આરોગ્યની સાધના પણ છે. મહાવીરના આરોગ્યનું રહસ્ય જો આપણે મેડિકલ સાયન્સની દૃષ્ટિએ વિચાર કરીએ, એક ડૉક્ટરના ભૂ પોઈન્ટથી વિચાર કરીએ તો મહાવીર કદીય સ્વસ્થ રહી શકે નહિ. તેમણે સાડાબાર વર્ષના સાધનાકાળમાં કશો જ પોષક આહાર લીધો જ નહોતો. માત્ર તપસ્યા જ તપસ્યા, ઉપવાસ જ ઉપવાસ ! ભોજન પણ નહિ અને પાણી પણ નહિ ! જે કાંઈ લૂખું-સૂકું મળી જતું તેનાથી પારણાં કરી લેતા. ક્યાં વિટામિન્સ, ક્યાં ચરબી ? કશું જ નહિ. શરીરને પોષણ મળ્યું જ નહિ. છતાં તેઓ કદી ગભરાયા નહિ. આજે મેડિકલ સાયન્સ કહે છે કે આપણું શરીર ઘણાંબધાં પ્રોટિન્સ પેદા કરે છે, તે અનેક તત્ત્વોને પેદા કરે છે. આપણે એ સચ્ચાઈ સુધી પહોંચવું પડશે કે જે વ્યક્તિનું ભાવતંત્ર ખૂબ પ્રશસ્ત છે, વિશુદ્ધ છે, તે પોતાના શરીર માટે જરૂરી તત્ત્વોની પૂર્તિ આપોઆપ કરી લે છે. મહાવીરે છ મહિના સુધી ભોજન ન લીધું અને પાણી પણ ન પીધું. કોઈ ડૉક્ટરને પૂછવામાં આવે તો તે એમ કહેશે કે આ અશક્ય છે, આવું થઈ જ ન શકે. પરંતુ એ સાચું છે કે એવું જ થયું છે. આપણે છ મહિનાની વાત જવા દઈએ. જેણે ઉપવાસ કર્યો, વીસ-પચીસ દિવસ સુધી પાણી ન પીધું તેને જોઈને કદાચ ડૉક્ટર એમ જ કહેશે કે આવું તો બની જ ન શકે. છે પરંતુ જે તેમની સમક્ષ થઈ રહ્યું હોય તેનો અસ્વીકાર પણ કઈ રીતે કરી શકે ? એક સાધ્વીએ એક વર્ષ સુધી માત્ર આશનું પાણી પીધું, - બીજું કશું જ ન ખાધું. આશ એટલે ગરમ છાશનું નિતર્યું પાણી. છે મારાયણાય છે કે * - - - - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy