SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જેવો ભાવ તેવું આભામંડળ અને જેવું આભામંડળ તેવા ભાવ. આજે કેટલાક વૈજ્ઞાનિકો મદ્રાસ અને પૂનામાં આભામંડળના ફોટો લઈને બીમારીનું નિદાન કરી રહ્યા છે. પૂનામાં એક ડૉક્ટર છે ડૉ. કલ્યાણ ગંગવાલ. તેમણે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ કર્યો, સાહિત્ય વાંચીને અભ્યાસ કર્યો. આભામંડળની તપાસનાં સાધનો પણ વિકસાવ્યાં. તેઓ આભામંડળના ફોટા લે છે અને તેના આધારે રોગનું નિદાન કરે છે. આભામંડળમાં જે રોગનું નિદાન થાય છે તે શરીરના અવયવમાં નથી હોતો. તે કોઈ અવયવની બીમારી નથી, મનની બીમારી પણ નથી પરંતુ ભાવાત્મક બીમારી છે અને તેને આભામંડળ દ્વારા જાણી શકાય છે. તેની જાણકારી પ્રાણીનું આભામંડળ આપે છે. ભાવ સારો હશે તો આભામંડળ સારું બની જશે. ભાવ ખરાબ હશે તો આભામંડળ વિકૃત બની જશે. જો આપણે સ્વસ્થ રહેવું હોય, ભયંકર બીમારીઓથી બચવું હોય તો ભાવ પ્રત્યે જાગરૂક રહેવું પડશે. શરીર ઉપર ઘા પડ્યો. ઠંડીની ઋતુમાં શરદી થઈ તો તે એક સામાન્ય સ્થિતિ છે. પરંતુ જે મોટી મોટી બીમારીઓ છે તેવી બીમારીઓથી બચવું હોય તો આપણે એક કેન્દ્ર ઉપર પહોંચવું પડશે અને તે કેન્દ્ર છે ભાવકેન્દ્ર. જો આપણો ભાવ શુદ્ધ હશે તો કોઈ મોટી બીમારી આવી નહિ શકે. વિતરાગતા છે આરોગ્યનું સૂત્ર મહાત્મા ગાંધી કહેતા હતા કે હું ક્યારેય બીમાર નહિ પડું કારણ કે હું વીતરાગતાની પણ સાધના કરું છું અને રાગ-દ્વેષથી બચવાનો પ્રયત્ન પણ કરું છું. એ વાત બિલકુલ સાચી છે કે વીતરાગ ક્યારેય બીમાર પડી શકતો નથી. આપણે આ નાનીમોટી બીમારીઓની વાત છોડી દઈએ – જે આગંતુક છે, પરંતુ મોટી બીમારીઓનો સ્રોત છે રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષના આશય દ્વારા પેદા થનારા ભાવાત્મક સંવેગો. જેના ભાવાત્મક સંવેગો પ્રબળ નથી, તેમને અસાધ્ય બીમારીઓ આવતી નથી. એક વ્યક્તિને તીવ્ર લો ક્રોધ ઉપજે છે, ભયંકર ક્રોધનું પરિણામ તત્કાળ હાર્ટએટેક આવે છે. વીતરાગને હાર્ટએટેક આવતો નથી કારણ કે તેને ક્યારેય ક્રોધ આવતો નથી. દ્વેષ આવ્યા વગર ક્રોધ પણ આવતો નથી. વ્યક્તિ - શાંત હોય તો ક્રોધની ઉત્તેજનાથી આવતો હાર્ટએટેક નહિ આવે. જો નું આયણાવ જ ૨૩ . સા. . તક on : ૪ : ધ કરી દે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy