SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કામ છે. કોઈકને સરસ નિદ્રા ન આવી. વારંવાર આમ તેમ પડખાં બદલતો રહ્યો. એનો અનુભવ કોણ કરે છે? એમનનું કામ નથી, ચિત્તનું કામ છે. ચેતનાનું એક કિરણ ચિત્ત છે. આ બધું ચિત્તનું કામ છે. એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ચિત્તનું કાર્ય અલગ છે અને મનનું કાર્ય પણ અલગ છે. ચિત્તનું પ્રથમ ઉત્પાદ છે ભાવ. મન તેનું પહેલું ઉત્પાદ નથી. ચિત્ત ભાવને પેદા કરે છે. ભાવનો પ્રવાહ ભીતરમાંથી આવે છે. આપણાં જેટલાં ઈમોશન્સ છે તે તમામ ચિત્તનાં ઉત્પાદ છે, તેથી ચિત્તના અનેક પ્રકાર છે. ભાવના આધારે એમ કહી શકાય કે આ ક્રોધનું ચિત્ત છે. એ જ રીતે અહંકારનું ચિત્ત, માયાનું ચિત્ત, લોભનું ચિત્ત, ધૃણાનું ચિત્ત, કલહનું ચિત્ત વગેરે અનેક ચિત્ત બની જશે. આ જે ભાવ પેદા થાય છે તે ચિત્ત પેદા કરે છે. સાહિત્યમાં એક શબ્દનો પ્રયોગ થાય છે – મનોભાવ. મનોભાવ એટલે મનમાં ભાવોનું. અવતરણ. મન ભાવ પેદા નથી કરતું. ભાવ પેદા કરવા એ મનનું કામ નથી. ભાવ પેદા કરે છે ચિત્ત. તે ભાવ મનની પાસે જાય છે અને પછી મનોભાવ બની જાય છે. આગમ સાહિત્યમાં, સાંખ્યદર્શન અને ઋગ્વદમાં જ્યાં મન વિષે વિચાર કરવામાં આવ્યો ત્યાં એમ કહેવામાં આવ્યું કે ચિંતન કરો, વિચાર કરો, આ મનનું કામ છે. કેટલાક લોકો પ્રશ્ન પૂછે છે કે – હવે એ દિવસ દૂર નથી કે જ્યારે કોમ્યુટર પણ ચિંતન કરવા લાગશે, ત્યારે ચેતનાનું અસ્તિત્વ ક્યાં રહેશે ? આ પ્રશ્ન કોઈ સમસ્યા નથી. કોમ્યુટરની ક્રિયા યાંત્રિક પ્રક્રિયા છે. મન પણ ચેતનાનું એક યંત્ર છે, ઉપકરણ છે. કોમ્યુટર ચિંતન કરશે તેથી આત્માના અસ્તિત્વ ઉપર કોઈ અસર નહિ પડે કારણ કે ચિંતન આત્મા અથવા ચિત્તનું મૂળ કામ નથી. તે પારિવાર્થિક કાર્ય છે. તેનું મૂળ કાર્ય છે અનુભવ કરવો, સંવેદન કરવું, ઇચ્છા કરવી. મનને કોઈ ઈચ્છા નથી હોતી. જો કે આપણા સાહિત્યકારો અને સંત લેખકોએ તો લખ્યું છે કે મનની તૃષ્ણા અનંત છે. હકીકતમાં મનમાં કોઈ તૃષ્ણા હોતી જ નથી. મન પેદા થયું છે શરીર સાથે તો! કે પછી તેમાં અનંત તૃષ્ણા ક્યાંથી આવે ? ચિત્ત અને મન વચ્ચે - તફાવત કરતા નથી ત્યારે ઉપચાર રૂપે કહી દેવામાં આવે છે કે મનની તૃષ્ણા અનંત છે. પ્રાણીનું એક લક્ષણ માનવામાં આવે છે – ઇચ્છા. જેનામાં મનનો વિકાસ નથી તેનામાં પણ ઈચ્છા થાય છે. મહાન આરાયણાસા ( ૧૮ ) : એ છે કે જો આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy