SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય રામચંદ્રે એક સુંદર વાત કરી. જૈન લોકો શૂન્યને ધ્યાન માનતા નથી. ચેતનાની શૂન્યતા ધ્યાન નથી, મૂર્છા છે. જ્યાં મૂર્છા છે ત્યાં ચેતનાનું ધ્યાન નથી, ત્યાં મનની સત્તા નથી, મનનો વિકલ્પ નથી, મનનો વિચાર નથી. જ્યાં ચેતનાની અનુભૂતિનું સાતત્ય છે, નિરંતર ચેતનાની અનુભૂતિનો અનુભવ થઈ રહ્યો છે, ચિત્તની જાગરૂકતા છે ત્યાં ધ્યાન છે. અન્યથા મૂર્છા અને ધ્યાન વચ્ચે કોઈ તફાવત રહેશે નહિ. તે ધ્યાનની અવસ્થા છે, જ્યાં પોતાના અસ્તિત્વનું, પોતના ચૈતન્યનું બરાબર ધ્યાન ટકી રહે છે. નિર્વિચાર અને નિર્વિકલ્પ અવસ્થામાં મન તો નથી પરંતુ ધ્યાન છે અને તે એટલા માટે છે કે તેમાં અસ્તિત્વ અથવા ચૈતન્યનો બોધ પ્રખર બની રહે છે. સ્થાયી છે ચિત્ત એક મહત્ત્વપૂર્ણ શબ્દ છે અમન. મનની અનેક સ્થિતિઓ બને છે પરંતુ એક સ્થિતિએ પણ છે કે જ્યાં મન જ નથી રહેતું, સમાપ્ત થઈ જાય છે. તે અમનની સ્થિતિ છે. આ તફાવત સ્પષ્ટ થવો જોઈએ કે ચિત્ત સ્થાયી છે અને મન ઉત્પાદ છે. આપણે મનને પેદા કરીએ તો તે છે. જો ન કરીએ તો મન છે જ ક્યાં ? મન, વચન, કાયા – ત્રણ તત્ત્વો છે. તેમાં મન અને વચનની સ્થિતિ સમાન છે. કાયાની સ્થિતિ આ બંનેથી અલગ છે. જ્યાં સુધી માણસ જીવીત છે ત્યાં સુધી શરીર ટકી રહે છે. વાણી અને મનની સ્થિતિ એ છે કે જ્યારે ઇચ્છે ત્યારે આ બંનેને પેદા કરે અને જ્યારે ઇચ્છે ત્યારે તેમને વિરામ આપે, તેથી મન ક્યાંય પ્રતિષ્ઠિત નથી. આપણે તેને ઉત્પન્ન કરીએ છીએ. જો મનને ઉત્પન્ન ન કરીએ તો અમનની સ્થિતિ બની જાય. ચિત્તની આવી સ્થિતિ નથી. ચિત્તને ઉત્પન્ન કરી શકાતું નથી. જેવી રીતે શરીરની નિરંતરતા છે તેવી જ રીતે ચિત્તની પણ આપણી સાથે નિરંતરતા છે. ચિત્ત નિરંતર રહેશે. સૂતાં, જાગતાં નિરંતર રહેશે. ચિત્ત પોતાનું કામ ચાલુ રાખશે. એ તો આપણી ચેતના છે કે જે ક્યારેય લુપ્ત નથી થતી. ન્યાયશાસ્ત્રના આચાર્યોએ તેથી જ કેટલાંક કથન પ્રસ્તુત કર્યાં હતાં – આજે મને ખૂબ સરસ નિદ્રા આવી. આ કોણ જાણે છે ? મન તો નિષ્ક્રિય બની ગયું હતું. તો પછી મને બહુ સરસ નિદ્રા આવી – એનો અનુભવ કોણ કરી રહ્યું છે ? એ ચિત્તનું મહાવીરનું અનેયશાસ્ત્ર ૮ ૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy