SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે પણ હોઈ શકે છે પરંતુ પ્રત્યક્ષ રૂપે સીધો સંબંધ નથી હોતો. પરંતુ અંતરાય ચિત્ત, મિથ્યાત્વ ચિત્ત અને સૌથી વધુ મોહ ચિત્તનો સંબંધ આપણા સ્વાથ્ય સાથે જોડાય છે. આપણે ચિત્તને બે ભાગમાં વહેંચી દઈએ - શુદ્ધ ચિત્ત અને અશુદ્ધ ચિત્ત. એક શુદ્ધ ચિત્ત છે અને બીજું અશુદ્ધ ચિત્ત છે. ચિત્તની શુદ્ધિ અને ભાવોની શુદ્ધિ સાથે જોડાયેલી છે મનની શુદ્ધિ. વાસ્તવમાં મન શુદ્ધ કે અશુદ્ધ નથી બનતું. તે મનનું કામ જ નથી. મનનું કામ છે સ્મૃતિ કરવાનું, કલ્પના કરવાનું, ચિંતન કરવાનું. તે શુદ્ધ કે અશુદ્ધ નથી થતું. તે શુદ્ધ અથવા અશુદ્ધ બને છે ચિત્તના પ્રવાહ થકી. ચિત્તનો પ્રવાહ ભાવમાં બદલાય છે ત્યારે તે શુદ્ધ અથવા અશુદ્ધ બની જાય છે. જ્યારે ભાવ મન ઉપર ઊતરે છે ત્યારે આપણે કહીએ છીએ કે મન શુદ્ધ છે અથવા તો અશુદ્ધ છે, શુભ છે અથવા અશુભ છે. - વાસ્તવમાં શુદ્ધ અથવા અશુદ્ધ કશું જ મનમાં નથી. હવા વહી રહી છે. હવા ગરમ છે કે ઠંડી? જો ગરમી વધુ હશે તો હવા ગરમ બની જશે. જો ઠંડી લહર ચાલતી હશે તો હવા ઠંડી બની જશે. હવા ઠંડી છે કે ગરમ તે નિરપેક્ષ દૃષ્ટિએ કહી શકાય નહિ. તેનું સાપેક્ષ પ્રતિપાદન જ કરી શકાય છે. હિમપાત થયો હોય, વરસાદ પડ્યો હોય તો હવા ઠંડી હોય છે. જેઠ અથવા અષાઢ મહિનામાં પ્રખર તડકો પડતો હોય ત્યારે હવા ગરમ બને છે. મનનું પણ એ જ કામ છે કારણ કે મનની કોઈ સ્વતંત્ર સત્તા નથી. ચિત્તની સ્વતંત્ર સત્તા છે, પરંતુ મનની સ્વતંત્ર સત્તા નથી. જો મન જ સર્વસ્વ હોય. મનની સ્વતંત્ર સત્તા હોય તો પોતાના મનને વશમાં રાખો એવો નિર્દેશ કોણ આપે છે ? આ નિર્દેશ કોની ક્રિયા છે ? તે છે ચિત્તની સત્તા. આ ચિત્તનું કામ છે કે ભલે તે મનનો નિગ્રહ કરે કે પછી તેને ખુલ્લું મૂકી દે. જો ચિત્ત પવિત્ર હોય અને ચિત્તમાં એ વાત બેસી ગઈ હોય કે મારે મનનો નિગ્રહ કરવો છે તો પછી તે ધ્યાનની સાધના કરશે, મનને એકાગ્ર કરશે, મનને પોતાના નિયંત્રણમાં રાખશે. મનનો માલિક છે તે. ધ્યાનમાં એક સ્થિતિ આવે છે નિર્વિકલ્પ, ધ્યાનની. જો મનની સ્વતંત્ર સત્તા હોય તો પછી નિર્વિકલ્પ અને નિર્વિચાર ધ્યાનનો અર્થ શો રહ્યો? શું ચેતના સમાપ્ત થશે? ચેતના ક્યારેય સમાપ્ત થતી નથી. વિચાર ન હોય ત્યારે પણ છતાં પોતાના અસ્તિત્વની અનુભૂતિ બરાબર થતી રહે છે. મહાવીરનું આયશાસ્ત્ર મુકે છે Tી છે કે ' જ કામ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy