SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસંગ છે. આત્મા અને શરીરના વિષયમાં કેશીકુમાર - શ્રમણ અને રાજાપ્રદેશીની વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. રાજા પ્રદેશીએ કહ્યું કે જો સૌ કોઈમાં આત્મા સમાન હોય તો યુવક અને શિશુની કાર્યક્ષમતામાં કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કોઈ યુવક હાથમાં ધનુષબાણ લઈને, તેની પ્રત્યંચા ખેંચીને નિશાન ઉપર તીર ચલાવી શકે છે. જ્યારે એક બાળક તીર ચલાવી નથી શકતું. આથી એ સ્પષ્ટ થાય છે કે શિશુ અને યુવકનો આત્મા સમાન નથી. કેશીકુમાર શ્રમણે રાજા પ્રદેશના આ તર્કનું સમાધાન કરતાં કહ્યું કે, “એક બાળકમાં પણ બાણ ચલાવવાની લબ્ધિ છે, તેનામાં બાણ ચલાવવાની ક્ષમતા છે, પરંતુ તેની ક્રિયાત્મક શક્તિનો પૂરો વિકાસ થયો હોતો નથી, તેથી તે બાણ ચલાવી શકતો નથી. જ્યારે યુવકમાં ક્રિયાત્મક શક્તિનો વિકાસ થઈ ગયો હોવાથી તે બાણ ચલાવી શકે છે.' આરોગ્યના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ શબ્દ છે - કરણવીર્ય - ક્રિયાત્મકશક્તિનો વિકાસ. જેનામાં ક્રિયાત્મકશકિત પૂર્ણ વિકસિત થઈ જાય છે તે આરોગ્ય પ્રત્યે જાગરૂક પણ રહી શકે છે અને અજાગરૂક પણ થઈ શકે છે. એક શિશુમાં લબ્ધિવીર્ય - ક્ષમતાત્મક શક્તિનો વિકાસ હોય છે, પરંતુ કરણવીર્ય - ક્રિયાત્મકશક્તિનો પૂર્ણ વિકાસ નથી હોતો. કોઈ બાળક પણ કરણવીર્યનો પ્રયોગ કરે છે. એમ ન કહી શકાય કે તેનામાં કરણવીર્ય નથી. પરંતુ એટલું ચોક્કસ કે તેનામાં કરણવીર્યનો પૂર્ણ વિકાસ થયો નથી હોતો. તેથી ગર્ભાવસ્થાથી શરૂ કરીને શૈશવાવસ્થા સુધી તેના આરોગ્ય પ્રત્યે વિશેષ વિમર્શ જરૂરી છે. “સંતચર્યા' “જ્ઞાતાધર્મકથા'નો એક પ્રસંગ છે. સમ્રાટ શ્રેણિકની ધર્મપત્ની ધારિણી ગર્ભવતી હતી. તેના ગર્ભમાં રાજકુમાર મેઘ હતો. એ પ્રસંગમાં ત્યાં ગર્ભની અવસ્થાની જે ક્રિયાઓ બતાવવામાં આવી છે, તેમાં આરોગ્યનાં મહત્ત્વનાં સૂત્રો મળે છે. કહેવામાં આવ્યું છે કે, છે જ્યારે મેઘકુમાર ગર્ભમાં હતો ત્યારે ધારિણી સંયમપૂર્વક ઊભી થતી, જે સંયમપૂર્વક બેસતી, સંયમપૂર્વક સૂઈ જતી. તેનું સૂઈ જવું, બેસવું, બોલવું બધું જ સંયમપૂર્વક ચાલતું હતું. તે પ્રત્યે ક્રિયા અને ચર્ચામાં - સંયમિત રહેતી હતી કે જેથી ગર્ભસ્થ શિશુને કોઈ ક્ષતિ ન પહોંચે, ા મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + VE કરી - - મ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy