SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ કરી શકે છે કે શરીરમાં જે વિકાર પેદા થાય છે, આપણી રોગ-નિરોધક શક્તિને કમજોર બનાવે છે, તે વિકારને દૂર કરવા માટે ડ્રાં હ્રી નો પ્રયોગ ખૂબ શક્તિશાળી છે. પ્રાચીન આચાર્યોએ આ વિષય ઉપર ખૂબ ચિંતન કર્યું. મૂળ વાત છે વિકારનું નિષ્કાસન. પ્રાકૃતિક ચિકિત્સકો પણ આ વાતને વિશેષ મહત્ત્વ આપે છે કે વિજાતીય તત્ત્વોનો સંચય ન થવો જોઈએ. જેટલો વિજાતીય તત્ત્વોનો સંચય થશે એટલી બીમારી આવશે. જેટલું વિજાતીય તત્ત્વોનું નિષ્કાસન થશે એટલું જ આરોગ્ય પ્રાપ્ત થશે. આપણા શરીરમાં એટલુ બધું વિજાતીય તત્ત્વ સંચિત રહે છે કે જેની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. સ્થૂળ મળ પણ એટલો બધો સંચિત થઈ જાય છે કે કબજિયાતની સમસ્યા કાયમની બની જાય છે. તેનાથી હૃદય પણ પ્રભાવિત થતું રહે છે. ગમેતેટલી દવાઓ લેતા જઈએ છતાં ઠીક થતું નથી, કારણ કે મળનો સંચય ખૂબ હોય છે. જ્યાં સુધી તેનું શોધન ન થાય ત્યાં સુધી દવા ક્યાંથી અસર કરશે ? દવા પણ તેમાં વિષ બનતી જાય છે. માત્ર સ્થૂળ મળ જ સંચિત નથી, પ્રત્યેક કોશિકામાં, કોશિકાના અણુ-અણુ ઉપર મેલ સંચિત રહે છે, તે મળ જ આપણી પ્રકૃત્તિને વિકૃત બનાવે છે. આપણી પ્રકૃતિ છે આરોગ્ય. વિજાતીય તત્ત્વો વિકૃતિ પેદા કરે છે અને વ્યક્તિ બીમાર પડે છે. વિકૃતિના નિવારણનો એક ઉપાય અપાનશુદ્ધિ છે. અપાનશુદ્ધિનો એક શક્તિશાળી પ્રયોગ છે – હ્રાં હ્રીં નો જાપ. કોઈ વ્યક્તિ દસ મિનિટ સુધી આનો જાપ કરે તો તેને અનુભવ થશે કે તેના કારણે શારીરિક જ નહિ, માનસિક વિકારોનું પણ વિરેચન થાય છે. દીર્ઘશ્વાસપ્રેક્ષા એક પ્રયોગ છે દીર્ઘશ્વાસપ્રેક્ષા. હૃદયરોગની સમસ્યા માટે તે ખૂબ ઉપયોગી છે. મૂળ વાત એ છે કે આ પ્રયોગો દ્વારા પ્રાણશક્તિ વધે છે, ઈમ્યુનિટી સિસ્ટમ શક્તિશાળી બને છે, રોગ-પ્રતિરોધક ક્ષમતા પ્રબળ બને છે. બીમારીનું વિરેચન થવા લાગે છે. જો પ્રાણશક્તિને પ્રબળ કરીને પ્રાણ સંચારનો પ્રયોગ કરવામાં આવે અને માનસિક ચિત્રનું નિર્માણ કરવામાં આવે તો એક દિવસ એવો આવી શકે કે જ્યારે હ્રદયની ધમનીના તમામ અવરોધો બિલકુલ સમાપ્ત થઈ જાય. મહાવીરનું આàયશાસ્ત્ર ૮ ૧૪૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy