SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શોધનું છે. જો વિચારોમાં સમન્વય-સૂત્ર ન મળે તો સહઅસ્તિત્વના સિદ્ધાંતનું અનુશીલન કરો. અનેકાન્તનો એક સિદ્ધાંત છે – બે વિરોધી વસ્તુઓ એક સાથે રહી શકે છે. કોઈપણ તત્ત્વ એવું નથી કે જેની વિરોધી બાજુ ન હોય. દરેક વસ્તુમાં વિરોધી યુગલ હોય છે. કોઈપણ વસ્તુ એવી નથી કે જેમાં બે વિરોધી ધર્મો ન હોય. નેગેટિવ અને પોઝિટિવ, ઠંડી અને ગરમી - બંને સાથે સાથે રહે છે. જે ગરમ છે તે ઠંડું પણ છે અને જે ઠંડું છે તે ગરમ પણ છે. આપણે કોને ઠંડું માનીશું અને કોને ગરમ માનીશું? ઠંડી અને ગરમી નેગેટિવ અને પોઝિટિવ - બધું સાપેક્ષ છે. અનેકાન્તનો પ્રયોગ આગ્રહને ઓછો કરે છે, તનાવને ઓછો કરે છે. જો અનેકાન્તનો દૃષ્ટિકોણ બની જાય તો આપણે અનેક બીમારીઓમાંથી મુક્તિ પામી શકીએ છીએ. હૃદયરોગ અને કાયોત્સર્ગ એક પ્રયોગ છે કાયોત્સર્ગ તે અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવનારો પ્રયોગ છે. કાયોત્સર્ગથી શિથિલીકરણ થાય છે, જાગરૂકતા વધે છે. તેને કારણે રુધિરાભિસરણની તમામ ક્રિયાઓ બરાબર ચાલે છે. કાયોત્સર્ગ એટલે ભેદવિજ્ઞાન, શરીરને આત્માથી ભિન્ન કરી દેવું. તેનું તાત્પર્ય છે – મમત્વનું વિસર્જન. મમત્વ તનાવ પેદા કરે છે. તનાવનું પ્રથમ બિંદુ છે – મારાપણું, મમત્વ. વ્યક્તિએ જે પદાર્થને પોતાનો માની લીધો તે ભલે સામાન્ય વસ્ત્ર હોય તો પણ જો તેને કોઈ નુકસાન પહોંચાડે તો વ્યક્તિમાં તીવ્ર તનાવ પેદા થઈ જાય છે. જો તે વસ્તુ મારી ન હોય તો પછી કોઈ પણ વ્યક્તિ તેને લઈ જાય છતાં તનાવ પેદા નહિ થાય. જો આપણે તનાવની સ્થિતિઓનું વિશ્લેષણ કરીએ તો નિષ્કર્ષ એવો મળશે કે મોટાભાગના તનાવ મમત્વના બિંદુથી શરૂ થાય છે. કાયોત્સર્ગ સાધન છે - મમત્વના વિસર્જનનું. તેનું એક સૂત્ર છે – પોતાના શરીર ઉપર પણ મમત્વ ન રાખો. જો શરીરનું મમત્વ નહિ રાખો તો શરીર સારું કામ કરશે. જો શરીરનું મમત્વ રાખશો તો શરીર પોતે જ તનાવ ઉત્પન્ન કરવાનું શરૂ કરી દેશે. એ તનાવ હૃદયને દુર્બળ બનાવશે. અનેક બીમારીઓને - જન્મ આપશે. અનુભવની વાણી છે કે કાયોત્સર્ગ હૃદયરોગની સર્વોત્તમ - દવા છે. જ્યારે પણ હૃદયરોગની સમસ્યા ઊભી થાય છે ત્યારે ડૉક્ટર પરામર્શ આપે છે કે બેડ રેસ્ટ કરો, સંપૂર્ણ આરામ કરો. બેડ E - મહાવીરનું આરોગ્યશાસ્ત્ર ત ૧૪૪ મી કે જેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy