SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાન્તનો પ્રયોગ કરીએ મૂળ પ્રશ્ન એ છે કે સમતાની ચેતનાનું નિર્માણ શી રીતે કરવું? આ જે સંવેગાત્મક, ભાવાત્મક પ્રતિક્રિયાઓ થાય છે, તેમને શી રીતે ઓછી કરી શકાય ? કઈ રીતે જીવન પ્રત્યે જાગરૂક દૃષ્ટિકોણનું નિર્માણ થાય ? સૌથી મોટી વાત દૃષ્ટિકોણના નિર્માણની છે. આપણાં કોઈ પણ આચરણ અને વ્યવહાર પછીથી થાય છે, પરંતુ તે પહેલાં દૃષ્ટિકોણનું નિર્માણ થાય છે. દૃષ્ટિકોણનું નિર્માણ કેવી રીતે કરવું તે માટે સૌ પ્રથમ ઉપાય છે – અનેકાન્તનો જીવનમાં પ્રયોગ કરવો. ભગવાન મહાવીરે અનેકાન્તનો દૃષ્ટિકોણ આપ્યો. જેના થકી ભાવાત્મક સંતુલન, મસ્તિષ્કીય સંતુલન અને શારીરિક ક્રિયાઓનું સંતુલન જળવાઈ રહે. જ્યાં એકાન્તવાદ હશે ત્યાં આગ્રહ હશે. આગ્રહમાં પરિસ્થિતિ ગુંચવાય છે. આગ્રહ તીવ્ર તનાવ પેદા કરે છે. તનાવ હૃદયરોગની ઉત્પત્તિમાં ખૂબ જવાબદાર બને છે. આગ્રહ માત્ર મોટી વાતો પૂરતો જ નથી હોતો, ક્યારેક નાનીનાની વાતો પણ આગ્રહનું કારણ બની જાય છે. બે ભાઈ હતા. એક ભાઈએ કહ્યું કે હું આ મકાન ખરીદીશ. બીજા ભાઈએ કહ્યું કે, ના, હું આ મકાન તને લેવા નહિ દઉં. મકાન ખરીધું, કે ન ખરીદ્યું પરંતુ બંને ભાઈઓ વચ્ચે એક તનાવ પેદા થઈ ગયો. ક્રિયા અને પ્રતિક્રિયાનું ચક્ર શરૂ થઈ ગયું. એક ભાઈ હંમેશાં એ વાતનું ધ્યાન રાખવા લાગ્યો કે પેલો ભાઈ રખેને આ મકાન ખરીદી ન લે. બીજો ભાઈ એ વાત પ્રત્યે સદા જાગરૂક રહેવા લાગ્યો કે મને મકાન ખરીદવામાં કોઈ અડચણ ઊભી ન થાય. આ આગ્રહજનિત તનાવનું એક નિદર્શન છે. એકાન્તવાદને કારણે આગ્રહની અને આગ્રહને કારણે વિગ્રહની પરિસ્થિતિ પેદા થાય છે. જ્યાં આગ્રહ અને વિગ્રહ હોય ત્યાં તનાવ અચૂક હોય જ. અનેકાન્ત એ આગ્રહનું વિસર્જન છે. અનેકાન્ત એટલે બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો. જો બીજાનો વિચાર સમજણમાં કાં ન આવે, સ્વીકાર્ય ન લાગે તો પોતાની વાત બીજા લોકો ઉપર લાદવાનો પ્રયત્ન ન કરો. બીજાના વિચારને સમજવાનો પ્રયત્ન કરો. પરસ્પર સાથે મળીને વિમર્શ કરો. જો વિચાર મળતા ન આવે આ તો સમન્વયનું સૂત્ર શોધો. અનેકાન્તનું બીજું તત્ત્વ સમન્વયના સૂત્રની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy