SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દેવી-દેવતાની ઓથ (શરણ) લીધી. આ ઓથ શું છે ? એ સંકલ્પશક્તિનો પ્રયોગ છે. જે પ્રયોગ અનાથી મુનિએ કર્યો હતો, એ જ પ્રયોગ આજે કોણ જાણે કેટલાય લોકો કરી રહ્યા છે. વ્યક્તિ ઓથ લે છે, સંકલ્પશક્તિનો પ્રયોગ કરે છે અને એવો ચમત્કાર થઈ જાય છે કે જેની કલ્પના પણ થઈ શકતી નથી. આજે એમ લાગતું હોય કે સમસ્યા ખૂબ ગંભીર બની રહી છે અને કાલે એમ લાગે છે કે જાણે કોઈ સમસ્યા છે જ નહિ. ગંભીર લાગતી સમસ્યા આપોઆપ ઉકલી જાય છે. વ્યક્તિને આશ્ચર્ય થાય છે કે આ શી રીતે થયું? શું આવું થઈ શકે ખરું ? હકીકતમાં આ સંકલ્પશક્તિના પ્રયોગનો ચમત્કાર છે. વિરોધી ભાવના અનુપ્રેક્ષા સિદ્ધાંતનું એક સૂત્ર છે - વિરોધી ભાવનાનો પ્રયોગ. આ પ્રયોગ જૈન આગમોમાં તથા મહર્ષિ પતંજલિના યોગ દર્શનમાં ખૂબ સુંદર રીતે વર્ણવાયેલો છે. દશવૈકાલિક સૂત્રનો એક શ્લોક છે – ઉવસમેણ હણે કોહં, માણં મgવયા જિણે / માર્યા ચક્ઝવભાવેણ, લોહં સંતાસઓ જિણે / ઉપશમ દ્વારા ક્રોધને જીતો, માર્દવ દ્વારા અભિમાનને જીતો, ઋજુતા દ્વારા માયાને જીતો અને સંતોષ દ્વારા લોભને જીતો. આ શ્લોક ખૂબ સરળ છે પરંતુ તેનો વિરોધી ભાવના તરીકે પ્રયોગ કરીએ તો તે ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે. એક વ્યક્તિએ કહ્યું કે મને ક્રોધ ખૂબ આવે છે. ક્રોધને શી રીતે દૂર કરવો ? તેને ઉપાય જણાવ્યો કે ઉપશમ દ્વારા ક્રોધને જીતો. આ સૂત્ર આપી દીધું પરંતુ તેની વ્યાખ્યા સમજાવી નહિ. પછી પ્રશ્ન ઉદ્ભવ્યો કે ઉપશમ શી રીતે આવે ? ક્રોધને શી રીતે જીતવો ? કહેવામાં આવ્યું કે અનુપ્રેક્ષાનો પ્રયોગ કરો, વિરોધી ભાવનાનો પ્રયોગ કરો. ક્રોધ શાંત થઈ રહ્યો છે, ઉપશમભાવ વિકસિત થઈ રહ્યો છે – એવા બિંદુ ઉપર એકાગ્ર બનો. આદેશ આપો, સૂચના આપો અને તે સચ્ચાઈનો અનુભવ કરો. માત્ર ઉચ્ચારણથી પરિવર્તન આવી જતું નથી. ઉપશમ દ્વારા ક્રોધને જીતો એમ વાંચવાથી કે તેનું રટણ કરવા માત્રથી ક્રોધ - શાંત નહિ થાય. તે માટે અનુપ્રેક્ષાની સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું * પડશે. જો અનુપ્રેક્ષા ન હોય તો વિરોધી ભાવના સફળ નહિ થાય. લોકારતી રીતે મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૩ . જ કામ કરો. જો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy