SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ જેવો મહત્ત્વપૂર્ણ ઉપાય કે ચિકિત્સાની બીજી કોઈ પદ્ધતિ નથી. મનોચિકિત્સક પાસે રોગી જાય છે ત્યારે ચિકિત્સક તેને સૌ પ્રથમ સૂચના આપે છે કે – “તમે શરીરને તદન ઢીલું કરીને સૂઈ જાવ.” માંસપેશીઓની શિથિલતા, મસ્તિષ્કીય સ્નાયુઓની શિથિલતા, સમગ્ર શરીરની શિથિલતા –- તદ્દન ઢીલું છોડી દો. આવી સ્થિતિમાં પ્રાણનું સંતુલન થઈ જાય છે. પ્રાણનું સંતુલન કાયોત્સર્ગની મુદ્રામાં થાય છે. પ્રાણ સંતુલનનો પ્રયોગ અસંતુલિત પ્રાણ અનેક બીમારીઓ માટે જવાબદાર છે. પ્રાણના અસંતુલનની બીમારીને હજી મેડિકલ સાયન્સ પકડી શક્ય નથી. જ્યાં જ્યાં પ્રાણઊર્જા વધુ એકઠી થઈ જશે ત્યાં ત્યાં કોઈ ને કોઈ ગરબડ જરૂર પેદા કરશે. શરીરમાં પ્રાણઊર્જા સંતુલિત રહેવી જોઈએ. નાડીઓમાં પ્રાણઊર્જાનો પ્રવાહ સુતલિત રહેવો જોઈએ. જ્યાં ઊર્જા વધુ એકઠી થશે ત્યાં સમસ્યા પેદા થઈ જશે. માણસના કામકેન્દ્રમાં વધુ એકઠી થશે તો કામવાસના પ્રબળ બનશે. તે એટલી બધી વધી જશે કે તેને સહન કરવાનું મુશ્કેલ બની રહેશે. જ્યાં જ્યાં પ્રાણઊર્જા આવશ્યકતા કરતાં વધુ એકઠી થશે ત્યાં બીમારી પેદા કરી દેશે. જો નાભિમાં વધુ જમા થશે તો ગુસ્સો આવવા લાગશે, ચીડિયાપણું વધી જશે, અનેક વિકૃતિઓ પેદા થઈ જશે. પ્રાણનું સંતુલન રહે તો વ્યક્તિ અનેક વિકૃતિઓથી બચી શકે છે. પ્રાણસંતુલનનો એક સુંદર ઉપાય કાયોત્સર્ગ છે. જ્યાં શિથિલતા હોય છે ત્યાં પ્રાણઊર્જાનું અસંતુલન સંતુલનમાં બદલાઈ જાય છે. પ્રાણનો પ્રવાહ આપોઆપ ઠીક થવા લાગે છે. પ્રાણસંતુલનનો એક ઉપાય છે - મંદશ્વાસ. શ્વાસને મંદ કરવો ખૂબ જરૂરી છે. સારા આરોગ્ય માટે એક મોટી શરત એ છે કે શ્વાસ ક્યારેય ઝડપી ન થવો જોઈએ. કાયોત્સર્ગ કરીએ તો શ્વાસ I આપોઆપ મંદ બની જશે. કાયોત્સર્ગ કરતાં પહેલાં શ્વાસની સંખ્યા તે માપી લો અને દસ મિનિટના કાયોત્સર્ગ પછી શ્વાસની સંખ્યા ફરીથી માપશો તો જણાશે કે શ્વાસની સંખ્યા ઘટી ગઈ હશે, મંદ થઈ ગઈ હશે. પ્રાણનું સંતુલન, શ્વાસને મંદ કરવો એ બધું કાયોત્સર્ગની અવસ્થામાં સહજ પ્રાપ્ત બને છે. છે મા મહાવીરનું આરોગ્યશાસ્ત્ર ૧૧૪ | કી iા કામ, For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy