SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સંજીવની બુટ્ટી .. ‘કાયોત્સર્ગ-શતક' કાયોત્સર્ગ વિશે વિશેષ પ્રકાશ પાડનારો ગ્રંથ છે. તેમાં કાયોત્સર્ગ વિષયક અગત્યની સૂચનાઓ મળે છે. કાયોત્સર્ગનો લાભ શો છે ? કહેવામાં આવ્યું કે - ‘તેના દ્વારા દેહની જડતા અને મતિની જડતાનું શુદ્ધીકરણ થાય છે.' પ્રાચીન વ્યાખ્યાકારોએ એટલું કહ્યું કે – દેહ અને મતિની જડતા મટે છે. આજે વિજ્ઞાનયુગમાં દેયુક્ત જડતાને શાંત કરીએ તો ઘણી બધી નવી વાતો મળી શકે છે. કાયોત્સર્ગ દ્વારા રક્ત-વિકાર અથવા મોહ શાંત થઈ જાય છે. વિકારની જે બીમારી છે તે કાયોત્સર્ગમાં શાંત થઈ જશે. લોહીના દબાણની બીમારી માટે કાયોત્સર્ગ સંજીવની બુટ્ટીનું કામ કરે છે. જે લોકોને લોહીનું દબાણ હતું, પ્રેક્ષાધ્યાન શિબિર દરમ્યાન તેમને કાયોત્સર્ગના પ્રયોગ કરાવવામાં આવ્યા. તેનું પરિણામ એ આવ્યું કે જેમને લોહીનું દબાણ ૧૭૦ હતું તેમને અડધા કલાકના કાયોત્સર્ગ પછી ૧૪૦ થઈ ગયું. અડધા કલાકમાં આટલો મોટો તફાવત પડી શકે છે ! જો લાંબા સમય સુધી પ્રયોગ કરવામાં આવે તો ઘણો તફાવત પડી શકે, લાંબા સમય સુધીના કાયોત્સર્ગની એક પદ્ધતિ રહી છે. ગંભીર માનસિક બીમારી માટે કહેવામાં આવ્યું કે પહેલા દિવસે પૂર્ણ કાયોત્સર્ગ, દિવસ-રાતનો કાયોત્સર્ગ કરવો. બીજા દિવસે તેનાથી ઓછો. ત્રીજા દિવસે ફરીથી અહોરાત્રિ કાયોત્સર્ગ અને ચોથા દિવસે તેનાથી ઓછો. આ ક્રમ બરાબર ચાલવો જોઈએ. નવ દિવસનો આ ક્રમ હોય છે. આ ક્રમ પ્રમાણે પ્રયોગ કરીએ તો ગંભીર માનસિક બીમારી શાંત થઈ જશે. કાયોત્સર્ગની એક લાંબી પ્રક્રિયા છે. એક દિવસનો કાયોત્સર્ગ, બે દિવસનો કાયોત્સર્ગ અને બાર દિવસનો કાયોત્સર્ગ. આ દીર્ઘકાલિક કાયોત્સર્ગ લોહીના દબાણ અને હૃદયરોગ માટે ખૂબ કલ્યાણકારી છે. હૃદય, મસ્તિષ્ક અને કરોડરજ્જુ માટે તે ખૂબ ઉપયોગી છે. આ ત્રણેયને આરામ આપવો એ કાયોત્સર્ગનો મુખ્ય પ્રયોગ છે. જો એ ત્રણેય સ્વસ્થ હશે તો બધું જ બરાબર રહેશે. મસ્તિષ્ક, હૃદય અને કરોડરજ્જુ જો બરાબર કામ કરતાં હશે તો આરોગ્યની ઘણી સુવિધા થઈ જશે. માનસિક તનાવ અને તેના દ્વારા ઉત્પન્ન વિકૃતિ માટે મહાપીરનું માટેયશાસ્ત્ર * ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy