SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેક્ષા કરો. ચિંતનને જુઓ. વિચારને જોશો તો ચિંતન સ્વસ્થ બનશે, માનસિક આરોગ્ય સારું બનશે અને શરીર પણ સારું રહેશે. ભાવને જોવાનું શીખો ચોથી વાત છે ભાવને જોવાનું શીખીએ. કયો ભાવ પેદા થઈ રહ્યો છે તે પ્રત્યે જાગરૂક રહીએ. એ સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે જે ભાવ પેદા થતો હોય તેને જોવો. ક્રોધ ક્યાંથી પેદા થઈ રહ્યો છે ? એ જ વખતે ક્રોધને જોઈ લો. ક્રોધ આગળ વધશે જ નહિ. સ્થૂળને શી રીતે જોશો ? મૂળ તો એ જ છે કે ક્રોધને જુઓ. એનું તાત્પર્ય એ છે કે જ્યાં ક્રોધ પેદા થઈ રહ્યો છે, તે સ્રોતને જુઓ. ક્રોધ આગળ વધશે નહિ. ક્રોધ ત્યાં જ શાંત થઈ જશે. અહંકાર પેદા થઈ રહ્યો છે. તમે તરત જ જુઓ કે અહંકાર ક્યાંથી પેદા થઈ રહ્યો છે ? આપણા મસ્તિષ્કમાં તમામ સ્થાન નિશ્ચિત છે. જેટલા ભાવ પ્રગટ થાય છે તે તમામનાં આપણા મસ્તિષ્કમાં સ્થાન છે. જે વૃત્તિ પેદા થવાની શરૂ થઈ છે, જે ભાવ પેદા થવાનો શરૂ થયો છે તેના ઉપર ધ્યાન સ્થિર કરો, જોવાનું શરૂ કરી દો, તો બીમારી આગળ નહિ વધે. ચિકિત્સાનો મહામંત્ર આ પ્રેક્ષા માનસિક ચિકિત્સા, ભાવ ચિકિત્સા અને શરીર ચિકિત્સાનો મહામંત્ર છે. બીમારીઓ ત્રણ પ્રકારની છે : શરીરની બીમારી, મનની બીમારી અને ભાવની બીમારી. ત્રણેની ચિકિત્સાનું સૂત્ર છે – શરીરને જુઓ, મનને જુઓ, ભાવને જુઓ અને ભાવના સ્રોતને જુઓ. ચિકિત્સાનું આ સૂત્ર એટલું બધું મહત્ત્વપૂર્ણ છે કે જો તેના વિશે સમ્યકુ મનન કરીએ, સ્ત્રોતને શોધીએ તો ઊંડાણ સુધી પહોંચી શકીએ. ક્રોધનો સ્રોત ક્યાં છે ? ક્રોધ કથા પેદા થાય છે ? મેડિકલ સાયન્સમાં તેનું બહુ સારું જ્ઞાન મળી શકે છે. તે બિંદુ ઉપર ધ્યાન સ્થિર કરીએ, તે બિંદુને જોવાનો પ્રયત્ન કરીએ તો જીવનનો કાયાકલ્પ થઈ શકે છે. દર્શનની પદ્ધતિ એ અધ્યાત્મ ચેતનાના | જાગરણની પદ્ધતિ છે, ચિકિત્સાની પદ્ધતિ છે. તેનું સમ્યફ મૂલ્યાંકન અને તેનો સમ્યકુ ઉપયોગ કરીને આપણે અનેક શારીરિક તથા કે માનસિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકીશું. કરી બાકી, મહી, મહાપીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૧ સમજ "કેવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy