SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪. ૬૧.. પરંતુ પરિણીત છતાં આ દષ્ટિએ અપરિણીત એવાં વિજયા શેઠાણી અને વિજય શેઠ જેવાં ગૃહસ્થ દંપતી છતાં પૂર્ણ બ્રહ્મચારી રહેલાં અને અનેક પ્રલોભનો અને પાડનારાં નિમિત્તે સંસારમાં એક પછી એક વધુ ને વધુ કસોટીએ ચડાવનારાં મળવા છતાં તેનું જેમ કસોટીએ ચડે તેમ વધુ શોભે છે,” તે વાતને પણ સિદ્ધ કરનારાં સુદર્શન શેઠ, જેવાં શ્રાવક પાત્રો અને સુલસા સુભદ્રા સતી જેવાં શ્રાવિકા પાત્રો પણ અનેકાનેક આપી દીધાં છે. અલબત્ત ભરત ચક્રવતી જેવાં પાત્રો (કે જેઓ) બત્રીસ બત્રીસ હજાર રાણુઓ વચ્ચે અને છ ખંડના આધિપત્યરૂપ લક્ષ્મી અને અધિકાર છતાં અરીસાભવનમાં પણ (બાર અનુપ્રેક્ષા અથવા બાર ભાવના પૈકીની એક) અન્યત્વ ભાવનાને ચિંતવી કેવળજ્ઞાન (સંપૂર્ણજ્ઞાન) પામેલાં અને મોક્ષે ગયેલાં પાત્રો, ઓછાં મળે છે. એમ છતાં એ એટલું તે સ્પષ્ટ દર્શાવે જ છે કે, ભગવાન શ્રીકૃષ્ણનું જીવન જે સદા બ્રહ્મચારી ગણાયું છે તો તેમાં નગદ સચ્ચાઈ રહેલી છે જ આખરે તે નર અને નારી શરીરે ભિન અને પરસ્પરાકર્ષણથી. ઘેરાયેલાં છતાં મૂળે તે એ બંનેમાં રહેલો મૂળ આત્મા જ્ઞાનદષ્ટિએ એક જ છે. તેનું પ્રતિપાદન કરી આપે છે. જ્યાં વ્યક્તિચેતના અને વિશ્વચેતનાને અંતે એકરૂપે તાળે મળે ત્યાં પછી શ્રીમદ્ કહે છે તેમ– આ સઘળા સંસારની, રમણું નાયકરૂપ; તે ત્યાગી ત્યાગું બધું, કેવળ શોક સ્વરૂપ. એમાં અને (પ્રથમ સ્થલ ભલે હોય, તોયે તે) બ્રહ્મચર્યની દિશા. લીધા વિના પાત્રતા આવતી જ નથી, તે હકીકત યથાર્થ ઠરી રહે છે. આમ આ આખે અધ્યાય છે તે ચાર નિકાય(ચાર પ્રકાર)વાળા. – દેવને પણ આવી આવી રહસ્યમય અનેક બાબતે એમાંથી ઊંડું વિચારતાં નીકળી તે આવે જ છે. જે બધા જ પ્રકારનાં બાહ્ય સુખે કરતાં સર્વ જીવો પ્રત્યેનું આત્મીયતાનું સુખ અથવા ઊંડું આત્મસુખ જ સર્વોપરી છે તેની હૂબહૂ ખાતરી આપી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy