SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪ દેવવર્ણન ઉપદુઘાત આ અધ્યાયમાં ત્રેપન સૂત્રો આવે છે. ખરેખર તે અતિ અશુભ -અથવા પાપને પરિપૂર્ણ સરવાળે તે જેમ નરકગતિ તથા નરકના -(વચ્ચેથી નાશ ન પામે તેવા) અનપવર્ચે એવા આયુષ્યનું મુખ્ય કારણ બને છે, તેમ અતિ શુભ અથવા પુણ્યને પરિપૂર્ણ સરવાળે એ સ્વર્ગગતિ તથા સ્વર્ગના અનપત્ય એવા આયુષ્યનું મુખ્ય કારણ જરૂર બને જ છે. તર્કની રીતે ભલે એવી કાયા, એવી કાયાના વસવાટનાં સ્થાને એમના લાંબા લાંબા કાળનાં શાસ્ત્રીય વર્ણને આપણને ગળે ન ઊતરે અથવા ટાઢા પહોરે હાંકયે રાખેલાં ગપ્પાં પણ લાગે. પરંતુ તકની રીતે પણ ક્રિયા માત્ર ફલવતી” એટલું તે તરત સમજાઈ જાય તેમ છે. અને જયારે જૈનોના નમક્કાર અથવા પંચ પરમેષ્ઠી મંત્રમાં સૌથી પ્રથમ સ્થાન જેમનું છે અને જેઓ જ્યાંથી પાછા ફરવાપણું નથી એવી સિદ્ધગતિના સિદ્ધ કરતાં પણ આગળનું સ્થાન આખાયે જગતમાં શોભાવે છે, તેવા ચતુર્વિધ – સાધુ, સાધ્વી, -શ્રાવક, શ્રાવિકા એ ચાર–સંઘના સંસ્થાપક તીર્થકરે પણ પિતાને આગલો જન્મ જે અશુભ કર્મ– સંચય વધી ગયો હોય તે નરકમાં, અને શુભકર્મ સંચય વધી ગયું હોય તે સ્વર્ગમાં અચૂકપણે પેદા થાય જ છે, ભૂતકાળમાં ખુદ ભગવાન મહાવીરને પણ આવો જન્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy