SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧: સૂત્ર ૪-૬ તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગદર્શનમ પારા ઉત્ત. અ. ૨૮ ગા. ૧૫ યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગદર્શન છે. જેને તત્ત્વતણા સદા ખરખરે રૂપે જ જોડેલ છે, તેની રુચિ યથાર્થ રૂપ સતતે સાચું જ છે દર્શન. અધ્યાત્મ પ્રગતિ સક્રિય રૂ૫ તે સમ્યકત્વ છે નિશ્ચયે, સંવેગ, પ્રશમે, વિરાગ, સુદયા વહેવારુ આસ્થામય. ૨ તનિસર્ગોદધિગમાઠા ૩ સ્થા. સ્થાન ૨, ૩. ૧, સ. ૭૦ જીવાજીવાઅવબન્ધ સંવરનિજેરામાક્ષાસ્તત્વમ ૫૪મા સ્થાનાંગ સ્થાન ૯. સૂત્ર ૬૬૫ આ સમ્યગદર્શન નિસર્ગથી એટલે કે પરિણામમાત્રથી અથવા અધિગમથી એટલે કે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિજરા* અને મોક્ષ એ તો છે. ૧. નિસર્ગ એટલે એક અર્થમાં ઉપાદાન વધુ શુદ્ધ હોવાને કારણે બહારનાં નિમિત્તને મેળવવાનો પ્રયત્ન ન કરવું પડે તે. ૨. કર્મનું આવાગમન થાય તે આસવ. સાતને બદલે જ્યાં નવ ત બતાવે છે, ત્યાં પુણ્ય અને પાપ વધારે છે. શુભ આસ્રવ પુણ્ય કહેવાય છે અને અશુભ આસ્રવ પાપ કહેવાય છે. ૩. આસવનો નિષેધ તે સંવર કહેવાય છે. ૪. કર્મનું ખપી જવું તે જૈન પરિભાષામાં નિજર કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy