SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર છે. વિશ્વગ્રંથ ગીતામાં પણ – જ્ઞાનાનિ ધ જર્માળ – એટલે જ્ઞાનાગ્નિથી કર્મને બાળી નાખનારને જ પંડિત કહ્યા છે. આ રીતે આ આખાયે અધ્યાયમાં માનવ શરીર મેક્ષ સાધનમાં મુખ્ય મનાયું હોઈ માનવશરીર પામીને – દર્શન જ્ઞાન ચારિત્ર – રૂપી આત્મસ્વભાવની ત્રિવેણી મેળવવા મથવાનું ખાસ કહેવાયું છે. જેમ સંસારમાં જડ અને ચેતનની જેડી સાથે રહેલી મનાય છે તેમ મોક્ષમાર્ગમાં જ્ઞાન અને દર્શનની જોડી એકીસાથે રહેલી મનાય છે. આથી પહેલાં જ્ઞાન-દર્શન પામવાં રહે છે. (દર્શન એટલે શ્રદ્ધા અથવા દર્શન એટલે નક્કર અનુભવ.) ચારિત્રની ઇમારત આવા જ્ઞાન-દર્શનના પાયા ઉપર જ ઊભી રહી શકે. આથી આ આખાયે પ્રથમ અધ્યાયમાં જુદા જુદા દષ્ટિકોણથી જ્ઞાન-દર્શન દયીની અને તેનાં સાધનો વગેરેની વિશદ સમીક્ષા થઈ છે. જે હવે ક્રમથી જોઈએ: સમ્યગદર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ ૧૫ ઉત્ત. અ. ૨૮ ગા. ૧-૩ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રએ ત્રણે મળી મેક્ષનું સાધન છે. (શાર્દૂલવિક્રીડિત) સર્વે ભૌતિક લાલસા જતી રહી જાગે મુમુક્ષા તથા; લીધે જ્ઞાનશું વિતરાગીપણની પાકી પરાકાષ્ટતા. કર્મો ક્ષીણ થતાં વિકાસ વધતાં આત્માતણી પૂર્ણતા; તે છે મેક્ષ સ્વરૂપ સૌ ભવિજને જે માર્ગને ઝંખતા. ૧ ૧. જૈન તત્વજ્ઞાનમાં દર્શનના બે અર્થ છે. શ્રદ્ધા અને અનુભવ. શ્રદ્ધા હોય ત્યાં દર્શન પ્રથમ આવે અને અનુભવ હોય ત્યાં પછી આવે. ૨. ચારિત્ર એટલે અનુભવ જ્ઞાનપૂર્વકનું આચરણ. " For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy