SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યધર્મને વિશ્વવ્યાપી ઉદ્ધાર કરવાને જે શ્રીમદ્ રાજચંદ્રને સંકલ્પ હતું, તે ગાંધીજીએ પાર પાડવાની મંગળ શરૂઆત પણ ગુજરાતથી કરી. તે પરથી ભગવાન મહાવીરના જ એ સત્ય અહિંસા પ્રચારવાને અવતાર થયું છે એવું અમારા સદ્ગત ગુરુદેવ નાનચંદ્રજી મહારાજે લગભગ સીતેર વર્ષ પહેલાં ગાંધીજીમાં પરખી લીધેલું. એ એમનાં ગાંધીજી પરનાં બે અંજલિ કાવ્યો ખાતરી આપે છે ! સદ્ભાગ્યે આ જ ગુજરાતમાં વીર સંવત ૯૮૦ (અને વિક્રમ સંવત ૫૧૦) માં વલ્લભીપુર–વળા-સૌરાષ્ટ્રમાં છેલ્લું અથવા ત્રીજુ જૈન સાધુ સંમેલન પણ થયું હતું! આમ ગુજરાતની અનેક વિશેષતાઓ હેવાથી ગુજરાતી ભાષાની પણ મૌલિક વિશેષતાઓ દિનેદિને વધુ ને વધુ બહાર આવતી જવાની ધારણ રહે છે. પંડિત શ્રી બેચરદાસજીની એ વાત પણ ખરી જ છે કે “ગદ્ય કરતાં પદ્ય જલદી કંઠસ્થ કરી શકાય છે.” તે આ ગ્રંથની પ્રકાશક સંસ્થા, “મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફથી બહાર પડેલ “સાધક સહચરી પર સ્થાનકવાસી જૈનસમાજનાં શિક્ષિત કે અશિક્ષિત (આકુમારવૃદ્ધ) સૌને તેને કંઠસ્થ કરી લેવાનું છે ત્યાહક અનુભવ થઈ ચૂક્યો છે. તત્ત્વાર્થસૂત્રના મૂળ રથયિતા વિષે સેંધનીય તત્વાર્થસૂત્રના પ્રણેતા આચાર્યવર શ્રી ઉમાસ્વાતિ (અથવા ઉમાસ્વામી) અનેક મહાન જૈન ગ્રંથના રચયિતા છે જ. પરંતુ વિક્રમના પ્રથમ સૈકામાં એમણે આ તત્વાર્થગ્રંથ રચીને તે પરાકાષ્ઠા જ કરી દીધી એમ જ કહેવાય! કારણ કે વિશ્વગ્રંથ ગીતાની અવેજીમાં જૈન તત્વજ્ઞાન કે જૈન દર્શનને નિચેડ આ સિવાય બીજે કયાંય જોવા નથી મળતું ! ઉપરાંત પરિચય પૃ. ૨, માં પંડિત સુખલાલજીએ જ કહ્યું છે: “તત્વાર્થાધિગમશાસ્ત્રના પ્રણેતા જૈન સંપ્રદાય (જૈન સમાજના બધા ફિરકાઓને પહેલેથી આજ સુધી એક સરખા માન્ય છે. દિગંબરે તેમને પિતાની શાખામાં થયેલા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy