SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તત્વાર્થસૂત્ર આ ત્રિવેણી માટે આ અધ્યાયમાં બતાવેલાં વ્રતો અને તે પણ તે તે વ્રતોમાંના અતિચારે (દેષો) ત્યજીને સારી રીતે પળાય તે ખૂબ જરૂરી છે. આ અધ્યાયની સવિશેષ ખૂબીઓ આ અધ્યાયમાં ભલે છેવટનાં બે સૂત્રમાં પણ દાતા અને દાન એ બેની જે યોગ્યતા બતાવી છે, તે વારંવાર વિચારવા જેવી છે. કારણ કે મૂળે તે સંચય ન કરવા પર જ ભાર જૈન તત્વજ્ઞાનને છે. જેમ પુ શ્રાવક પરિશ્રમથી રોજી મેળવી પરિવાર સહિત સમતાથી જીવે છે તેમ. પરંતુ ન્યાય સંપન્ન આજીવિકા ચલાવવા છતાંય સંપત્તિ વધતી જાય તે? એમ થાય તે પિતાને માટે મર્યાદા બાંધી લેવી અને પોતે પણ ઊંચે જાય તેવી ઉદાર ભાવનાથી તથા લેનાર પણ ગૌરવ અનુભવે અને દાન કરતાં તે દાતા પણ શીખે, એવું વાતાવરણ થાય, તે જરૂરી છે. છઠું અને સાતમું (તેમ જ ક્યાંક તે દશમું આવે છે તે) વ્રત દિશાની (આ દિશાએ આટલું જવું તે) મર્યાદા સૂચવે છે. વર્ષો પહેલાં “ધર્મદષ્ટિએ સમાજરચના' પુસ્તકમાં દિશાની મર્યાદા એટલા માટે જૈન ધર્મે પિતાના ત્રિશલ્પ રહિત (દંભરહિત, ભૌતિક લાલસારહિત અને અજ્ઞાનરહિત) શ્રાવક સાધક–સાધિકા માટે બતાવી છે કે જેથી તે પોતાનાં પેટ, પહેરણ અને પથારી જ્યાં જન્મે છે, ત્યાંથી જ મેળવી લે. હા, જ્ઞાનને આદાનપ્રદાન માટે જરૂર બીજા દેશમાં પ્રદેશમાં જય! જે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય, એટલે કે સૌ પિત–પિતાનાં કર્તવ્યો સંભાળે તે આ સાવ સરળ થઈ શકે તેવું છે. અને નીચે નીચેથી વ્યવસ્થા વિકેન્દ્રિત ગોઠવાય, તે આ બધું આખાયે જગત માટે સાવ સરળ થઈ શકે તેવું છે. જેમ આ અધ્યાયમાં સાધક સાધિકાઓના વ્રતમાં આવતા અતિચારોમાં આધુનિક યુગ – ઔદ્યોગિક યુગ –ને કારણે ફેરફાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy