________________
તવાખ્યાન-ઉત્તરાર્ધ.
તેમજ “ નિહાદુvહાવરાત્ર ત્રહ્મળો અક્ષામ”(વે. ૫. પૃ. ૩૫૭) અર્થાત સમસ્ત જગત્ નું જે ઉપાદાનકારણ તે જ બ્રા. જગરૂપ પરિણામને પામેલ માચાના અધિષ્ઠાનરૂપ બ્રહ્મ, તે જ જગત નું ઉપાદાનકારણ છે.
પ્રલય-નિરૂપણું, ત્રિલેકના નાશને પ્રલય કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે. ૧ પ્રાકૃત પ્રલય, ૨ નૈમિત્તિક પ્રલય, ૩ આત્યન્તિક પ્રલય અને ૪ નિત્યપ્રલય.
પ્રાકૃત પ્રલય, કાર્યબ્રહ્મના વિનાશરૂપ નિમિત્ત દ્વારા સર્વકાર્યના નાશને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે. બ્રહ્મસાક્ષાત્કાર પામેલ કાર્યબ્રહ્મને બ્રહ્માંડના અધિકારરૂપ પ્રારબ્ધ કર્મની પરિસમાપ્તિ પછી જ્યારે વિદેહ કૈવલ્યરૂપ પર મુક્તિ થાય છે, ત્યારે તે લેકમાં રહેનાર બ્રહ્મસાક્ષાત્કાર પામેલ જીને બ્રહ્મની સાથે વિદેહકૈવલ્ય થાય છે. આવી રીતે તે લેકવાસીઓની સાથે જ્યારે કાર્ય બ્રહ્મને સંબંધ ચાલ્યા જાય છે ત્યારે તેના આશ્રિત બ્રહ્માંડવર્તી સંપૂર્ણ લેકને, તેમાં વર્તતા થાવર વિગેરે ભૈતિકોને તથા ભૂતને પ્રકૃતિરૂપ માયામાં લય થાય છે, પરંતુ તેને બ્રહ્મમાં લય કહી શકાય નહિ.
નૈમિત્તિક પ્રલય. કાર્ય બ્રહ્મના દિવસના અન્તરૂપ નિમિત્તથી થતા ત્રિલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org