________________
' મીમાંસકદર્શન.
ધૂમ અગ્નિની સાથે સંબંધ ધરાવવાવાળે છે એવા અનુર્ભવથી સંસ્કાર ઉત્પન્ન થાય છે, ત્યાર પછી પર્વત વિગેરે સ્થાનમાં ધૂમ વિગેરે નિમિત્ત જેવાથી પ્રથમના સંસ્કારને ઉ૬. બધ થાય છે, એમ અગ્નિવિષયક અનુમિતિ અનુમાન દ્વારા થાય છે. સારાંશ- વ્યાપ્તિજ્ઞાન અને તેથી ઉત્પન્ન થતા સંસ્કાર એ બને અનુમિતિજ્ઞાનમાં હેતુ છે.
સવના ત્રણ ભેદ. તે ૧ પારમાર્થિક સર્વ કે જે બ્રહ્મામાં રહેલ છે, તે ૨ વ્યાવહારિક સત્વ કે જે આકાશ વિગેરેમાં છે, તે ૩ પ્રાતિભાસિક સર્વ કે જે છીપમાં ચાંદી-રૂપાને પ્રતિભાસ છે એમ સવના ત્રણ પ્રકાર છે.
ઉપમાન પ્રમાણ-નિરૂપણ. સાદશ્યજ્ઞાનનું કરણરૂપ સાધન તે ઉપમાન પ્રમાણે કહેવાય છે. ગાયને જેનાર મનુષ્ય વનમાં “રેઝ” નામના પ્રાણિને જોતાં આ પ્રાણી ગાય જેવું છે.” એમ નિર્ણય કરે છે, ત્યાર બાદ આ વ્યક્તિ ગવયપદવાઓ છે એ ઉપમાનપ્રમાણનું ફળ છે અને તેની પૂર્વનું જ્ઞાન ઉપમાન પ્રમાણ કહેવાય છે.
આગમ પ્રમાણ-નિરૂપણ. " જે વાક્યને તાત્પર્યવિષયભૂત સંબંધ બીજા પ્રમા
થી બાધિત ન થાય, તે વાયને આગમપ્રમાણુરૂપે માનવામાં આવે છે. વાકયથી ઉત્પન્ન થતા જ્ઞાનનાં આકાંક્ષા ૧, ચોગ્યતા ૨, આસત્તિ ૩ અને તાત્પર્ય ૪ આ ચાર સાધને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org